આજની યુવાન પેઢી એકબીજાનું જોઇને ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. સમાજના યુવક-યુવતીઓ એકબીજા સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ રહ્યા છે અને તેને કારણે બનતી ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી બની રહી છે. લોકો પોતાના અંગત સભ્યોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. હાલમાં પ્રેમ સંબંધને લઈને બનતા કિસ્સાઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે.
હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ જાણીને દરેક લોકો ચોંકી ગયા હતા. એક જ પરિવારના સભ્યો સાથે કરુણ ઘટના બની ગઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના નેમાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. નેમાવર વિસ્તારના ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવાર નેમાવર બસ સ્ટેન્ડ પાછળ ભાડાના મકાનમાં રહેતું હતું.
પરિવારમાં 6 સભ્યો રહેતા હતા. પરિવારના સભ્યો ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. પરિવારમાં રહેતા સભ્યના નામ મમતા બાઈ અને તેમના પતિ મોહનલાલ રહેતા હતા. તેમને સંતાનોમાં દીકરી રૂપાલી, બીજી દીકરી દિવ્યા અને ત્રીજી દીકરી પૂજા તેમજ એક દીકરો રવિ રહેતા હતા. રૂપાલીની ઉંમર 21 વર્ષની હતી અને દિવ્યાની ઉંમર 14 વર્ષની હતી.
તેમજ પૂજાની ઉંમર 15 વર્ષની હતી અને રવિ ની ઉંમર 14 વર્ષની હતી. દરેક સભ્ય ખૂબ જ ખુશીથી રહેતા હતા પરંતુ તેમાંથી એક દીકરીને ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેના કારણે તે બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ પરિવારની ના હોવાને કારણે બંને લગ્ન કરી શકતા ન હતા. યુવકને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાના હોવાને કારણે પરિવારના દરેક સભ્યો અડચળ રૂપ બનતા હતા.
જેના કારણે એક દિવસ યુવક પરિવારના ઘરે પહોંચ્યો હતો. પોતાની પ્રેમિકાના પરિવાર સાથે તેણે ચોકાવનારી ઘટના કરી નાખી હતી. તેની પ્રેમિકા અને પરિવારના પાંચ લોકો સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તે ગુસ્સામાં આવતા તેમના ઘરમાંથી બહાર નીકળતો ગામના લોકોને જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ બહાર દેખાયા ન હતા.
જેના કારણે ગામના લોકોએ ઘરની તપાસ કરતા ઘરના સભ્યો જોવા મળ્યા ન હતા અને તેમની કોઈપણ જાણ ન હતી જેના કારણે ગામના લોકોએ નિમાવર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી એક સાથે પરિવારના પાંચ સભ્યો એના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારના ગુમ થયાની ફરિયાદ પીઠમપુરની યુવતી ભારતીએ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે તપાસ કરતાં સમયે બે યુવકોને પકડી પાડ્યા હતા. ગામના લોકોએ તેમના જ ખેતરમાં ખેત મજૂરીએ આવતા યુવકોને તેમના ઘરેથી બહાર નીકળતા જોયા હતા. જેના કારણે આ યુવકોને પોલીસે પકડી પડ્યા હતા અને આ યુવકનું નામ લક્ષ્મણસિંહ ચૌહાણ અને તેના નાના ભાઈ ભૂરુની ધરપકડ કરી હતી.
લક્ષ્મણસિંહની ઉંમર 25 વર્ષની હતી. બંનેની પૂછપરત કરતા સમયે તેમને જણાવ્યું હતું કે પ્રેમિકા સાથે લગ્ન ન કરી આપવાની કારણે તેઓ એક દિવસ પ્રેમિકાના ઘરે ગયા હતા. તે સમયે તેણે જે કર્યું હતું તે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રેમિકા અને તેમના પરિવારના પાંચ લોકો સાથે ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને ઉપરાપર છરીના ઘા મારી દીધા હતા.
ખેતરમાં લઈ જઈને ઊંડો ખાડો ખોદીને દરેક સભ્યોને દાટી દીધા હતા. જેના કારણે પોલીસ બંને યુવકોને તેમની સાથે ખેતરે લઈ ગઈ હતી અને ત્યાં તેમણે ખાડો કરતા આ 6 વ્યક્તિઓના મૃત્યુ મળી આવ્યા હતા એક સાથે પરિવારને તેમણે મારી નાખ્યું હતું અને છતાં પણ બંને યુવકોને પોતાના પસ્તાવાની કોઈ જ શંકા દેખાઈ રહી ન હતી. ત્યારબાદ પોલીસ હજુ પણ આ બંને યુવકોની કડક પૂછપરછ કરી રહી હતી
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]