દિવસેને દિવસે આપણી આસપાસ ઘણા બધા ચોકાવનારા બનાવો બની રહ્યા છે, ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. આજકાલ લોકો ખોટા માર્ગો અપનાવીને લોકોના પૈસા લૂંટી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ગ્વાલિયરના ગીરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
અવારનવાર લૂંટફાટ અને ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જેને કારણે લોકો પોતાની કીમતી સંપત્તિ ગુમાવી રહ્યા છે, ગ્વાલિયરમાં ન્યુ શ્રીકૃષ્ણ કોલોનીમાં એક પરિવાર રહેતું જેમાં ગુડ્ડી તોમર રહેતા હતા. તેમના દીકરાનું નામ દાતારામ તોમર હતું. દાતારામ વેપારીએ વ્યવસાય હતા. જેને કારણે તેમણે પોતાની ઘરની દુકાન વાડ વિસ્તારમાં બનાવી હતી.
દુકાન ખૂબ જ સારી એવી ચાલતી જેથી તેઓ દરરોજ દુકાનેથી ઘરે અને ઘરેથી દુકાને સમયસર જતા આવતા અને એક દિવસ દાતારામ સવારના સમયે પોતાનું ઘર બંધ કરીને સમયસર દુકાને જવા માટે નીકળ્યા અને તેઓ આખો દિવસ દુકાને રહ્યા હતા અને પોતાનો ધંધો કર્યો હતો. સાંજ થતાં દાતારામ દુકાનેથી ઘરે જવા માટે નીકળ્યા હતા.
ઘર પાસે પહોંચતા જ તેમના ઘરના દરવાજાએ તેમણે એવું જોયું કે તેઓ જોઈને ઢળી પડ્યા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આસપાસના પાડોશી ભેગા થઇ ગયા જોયું તો દાતારામને ખૂબ જ આઘાત લાગી ગયો હતો તેમણે જોયું તો, તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હતું, જેના કારણે તેઓ ઘરમાં ગયા હતા.
અને તેમના ઘરની દરેક વસ્તુઓ જેમ તેમ પડેલી હતી અને તેમના રૂમના કબાટમાં દરેક દરવાજા ખુલ્લા હતા. કબાટના લોકો પણ તોડી નાખવામાં આવ્યા હતા. તેમાં રહેલા રોકડ અને દાગીના ગાયબ હતા. તેમજ અમુક વસ્તુઓ જે કીમતી હતી તે ગાયબ હતી. આ જોઈને તેઓ બે ધાર આંસુએ રડવા લાગ્યા હતા.
દાતારામે તરત જ ગીરવાઈ પોલીસને આ ઘટનાની જાણ કરી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમની ફરિયાદ નોંધી. ઘરમાંથી લુટેરાઓ લૂંટ કરી ગયા હતા. જેમાં કબાટમાં રાખેલી રોકડ અને દાગીનાની ચોરી કરી ગયા જેના કારણે પોલીસે તપાસ કરતા ઘરમાંથી સોનાનો હાર, મંગળસૂત્ર, કાનની બુટ્ટી, સોનાનું પેન્ડલ,..
બ્રેસલેટ અને લગભગ દોઢ કિલો ચાંદીના દાગીના તેમજ રોકડ પૈસા 8000 રૂપિયા તેઓ લૂંટીને લઈ ગયા હતા અને ઘરનો અમુક કિંમતી સામાન પણ લઈ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધણીને તપાસ ચાલુ કરી હતી અને લુટેરાને શોધવાની તપાસ ચાલુ કરી હતી. પરિવારે એક એક પૈસા ભેગો કરીને આ ઘરેણા કરાવ્યા હતા અને તેમની સાથે આવી ઘટના બની જતા દાતારામનું પરિવાર આઘાતમાં આવી ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]