આજકાલ બાળકો સાથે ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે. આવી ગંભીર ઘટનાઓ માસુમ બાળકો સાથે બનતા તેઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો સાથે આકસ્મિક ઘટનાઓ બની રહી છે. માસુમ બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. બાળકો સાથે ગંભીર દુર્ઘટના બની જતા પરિવાર આઘાતમાં મુકાઈ જાય છે.
આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બની હતી. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક પરિવાર ધનૌલીમાં રહેતું હતું. આ પરિવારમાં માતા-પિતા અને તેમનો માસુમ બાળક તેમજ બાળકના દાદા-દાદી અને કાકા રહેતા હતા. પરિવારમાં રહેતો માસુમ બાળકનું નામ દિવ્યાંશ હતું. તેની ઉંમર 3 વર્ષની હતી. બાળકના પિતાનું નામ વિનોદભાઈ હતું.
દિવ્યાંશના કાકાનું નામ યોગેશકુમાર હતું. એક દિવસ બાળક સાથે ખૂબ જ ગંભીર દુર્ઘટના બની ગઈ હતી. દિવ્યાંશ તેના ઘરના ટેરેસ ઉપર રમી રહ્યો હતો. તે સમયે તે ટેરેસ પરથી પડી ગયો હતો. પરિવારને દિવ્યાંશના પડી જવાની જાણ થતા તેઓ તરત જ ટેરેસ પર દોડી ગયા હતા. દિવ્યાંશને નજીકમાં આવેલી સાઈના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો.
ત્યારબાદ દિવ્યાંશનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ સીટી સ્કેન માટે અગ્રવાલ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં સુભાષ પાર્ક મોકલ્યા હતા. 3 વર્ષના દિવ્યાંશના કાકા યોગેશ કુમારનું કહેવું છે કે જ્યારે દિવ્યાંશને સિટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. તે પહેલા તેણે અગ્રવાલ ડાયગ્નોસિસ સેન્ટરમાં દિવ્યાંશનો વીડિયો બનાવ્યો હતો. તે હસી રહ્યો હતો, અમારી સાથે રમી રહ્યો હતો.
દિવ્યાંશ શારીરિક રીતે ફિટ હતો. તેને કઈ થયું નહોતું. તેનો પુત્ર બધું સાંભળી અને બોલી શકતો હતો. સિટી સ્કેન પહેલા ડાયગ્નોસીસ સેન્ટરમાં સ્કેન દરમિયાન ઈન્જેક્શન લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની તબિયત બગડવા લાગી હતી. પરંતુ દિવ્યાંશના પરિવારને ખ્યાલ નહોતો કે ડૉક્ટરની બેદરકારી તેઓને તેમના બાળકથી હંમેશ માટે દૂર કરી દેશે.
બાળકના જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. પરિવારની હાલત કફોડી હતી. માતા-પિતા અને દિવ્યાંશના દાદા-દાદી પણ તેના મૃત્યુથી દુઃખી હતા. આગ્રામાં એક ડાયગ્નોસિસ સેન્ટરમાં ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળક હસતા રમતા સિટી સ્કેન માટે ગયો હતો, પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે જીવતો પાછો આવ્યો ન હતો.
દિવ્યાંશના પરિવારે હોસ્પિટલના સંચાલક અને નિદાન કેન્દ્રના ડૉક્ટર વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ડોક્ટરોએ ચેકઅપ બાદ જણાવ્યું કે દિવ્યાંશનું મૃત્યુ થયું છે. ગુસ્સે થયેલા પરિવાર જનોઈ પોલીસને આ ઘટના જણાવી હતી. ડોક્ટર અને સ્ટાફ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે ડોક્ટર અને સ્ટાફ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]