અત્યારે તહેવારનો સમય ચાલી રહ્યો છે. તેવામાં શહેર કે ગામડાઓમાં પોલીસ તંત્રની જાણતી નજર દરેક જગ્યા ઉપર રહે છે. કારણ કે તહેવારના સમયમાં કેટલાક લોકો સક્રિય થાય છે અને તેઓ પોતાના કાળા કારનામાવો આચરવા લાગે છે. શહેરના નાગરિકો ત્યાંથી તહેવારની ખુશીઓ બનાવી શકે એટલા માટે શહેરનું પોલીસ તંત્ર ખૂબ જ કાર્યરત રહે છે.
છતાં પણ દિવાળીની રાત્રે જ એક એવો બનાવો બન્યો છે કે, બેસતા વર્ષના દિવસે સવારે પરિવારને રોવાનો વારો આવ્યો છે. આ એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમને પણ બોલવા લાગશો કે હે ભગવાન તમે આવું કોઈ પણ ની સાથે ન કરતા.. આ બનાવો રાજસ્થાનના શિકર જિલ્લાનો નીકથા પાસેથી સામે આવ્યો છે..
અહીં જખરીયા પાસે ફુલચંદ આહીર તેમના પરિવારજનો સાથે રહે છે. ફુલચંદભાઈ દિવાળીના દિવસે તેમના પરિવારજનો સાથે ફટાકડા ફોડ્યા બાદ ઘરે સૂઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે તેઓ જાગ્યા ત્યારે જોયું તો તેમના ઘરના પાછળની લોખંડની બારી તૂટેલી હતી. અને અંદરથી કોઈ અજાણી વ્યક્તિએ પ્રવેશ કર્યો હોય તેવું લાગતું હતું..
આ બારીને જોઈને તેવો રૂમના અન્ય દરવાજાઓ પણ જોયા હતા. આ ઉપરાંત તેઓ જ્યારે અંદરની રૂમ પાસે ગઈ ત્યારે ત્યાં મુકેલા બંને કબાટના તાળા પણ તૂટેલા હતા અને કબાટ ની અંદર ચેક કરીને જોયું તો અંદાજે બે લાખ રૂપિયા રોકડા અને સાડા ત્રણ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ગાયબ હતા..
આ દ્રશ્ય જોતા જ ફુલચંદ આહિર અને તેમના પરિવારજનો સમજી ગયા કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. આ ઘટનાને લઈએ તેમના પરિવારમાં ભારે શોખનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ તાબડતો ચીસા ચીઝ કરવા લાગ્યા જવામાં આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચ્યા તેઓએ વિશ્વાસ આપ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવાની સલાહ આપી હતી..
પોલીસ સ્ટેશનને પહોંચ્યા જ્યાં લીમડા પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રાત્રીના સમયે સૂઈ ગયા ત્યારે તેમના ઘરના પાછળની લોખંડની બારી તોડીને કેટલાક વ્યક્તિઓ ઘરમાં પ્રવેશી ગયા હતા. ત્યારબાદ તેમના ઘરે ચોરી કરીને જતા રહ્યા છે..
જેમાં રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીનાનો પણ સમાવેશ થાય છે .પોલીસે ફરિયાદ નોંધીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ઘટના સ્થળનું પણ તલાશી લેવામાં આવી છે. ફુલચંદ ભાઈનું કહેવું છે કે તેમના ઘરે એટલા બધા રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના રહેલા છે તેની જાણકારી માત્ર ઘરના સભ્યોને જ હતી..
કારણ કે આ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના માત્ર બે દિવસ પહેલા જ તેઓ પોતાના ઘરે લાવ્યા છે. ફુલચંદભાઈએ તેમના દીકરાની વહુ ઉપર પણ આરોગ લગાવ્યો છે કે, તેને આ ચોરી કરી હોય અને ત્યારબાદ લોખંડની બારી તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ ચોરી કરીને જતો રહ્યો છે..
તેવું કારનામું રચ્યું હોય આ ઘટનાને લઇ પોલીસ દરેક બાજુથી તપાસ ચલાવી રહી છે. જ્યારે આ ઘટના સામે આવી હતી ત્યારે આસપાસના પડસીઓ પણ કહેવા લાગ્યા કે ભગવાન આવું કોઈ પણ વ્યક્તિ સાથે ન કરે, કારણ કે આ પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે. તેઓએ અત્યાર સુધી કમાયેલી તમામ જમા પુંજી પોતાના ઘરે મૂકી હતી અને એક જ સાથે એટલી બધી રકમ ચોરી થઈ જતા પરિવારને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]