ઉત્તર ગુજરાતના મહેસાણાના વિસનગર શહેરમાં વધુ એક આવનારો બનાવો સામે આવ્યો છે. વિસનગર શહેરના આદિનાથ સોસાયટીમાં નરેન્દ્રકુમાર ચંદુલાલ પરમાર નામના વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. તેવો ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિવૃત્ત અધિકારી થઈ ગયા છે. તેઓ પોતાના ઘરે હતા એવામાં માણસા ખાતે સ્થાયી તેમના નાનાભાઈ જશુભાઈનો અચાનક જ ફોન આવ્યો કે, તેમના પિતાજીનું અવસાન થયું છે..
જેની અંતિમવિધિનો કાર્યક્રમ પૂર્ણ કરવા માટે નરેન્દ્રકુમાર પોતાના પરિવારજનો સાથે નાના ભાઈના ઘરે માણસા ખાતે ગયા હતા. પિતાજીના અવસાન બાદ અંતિમવિધિની તમામ કામગીરીઓ બીજા દિવસે પૂરી થઈ હતી. તેઓ પોતાના ઘરેથી નીકળ્યા અને બે દિવસ સુધી પોતાના ઘરે પરત આવ્યા હતા નહીં..
અંતિમ વિધિ પૂર્ણ કરીને તેઓ જ્યારે પોતાના ઘરે પરત ગયા ત્યારે દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો હકાબકા રહી ગયા હતા. જ્યારે ઘરધણી પોતે પોતાને જોતા જ રહી ગયા કારણકે ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો. આ ઉપરાંત ઘરનો તમામ સામાન વેર વિખેર થઈ ગયો અને તિજોરીમાં મુકેલા દાગીના સહિત મોટી રોકડ રકમ પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું..
આ ઘટના બનવાની જાણ આસપાસના પડોશીઓને પણ કરવામાં આવી અને તેમને આ અંગે કોઈ પણ માહિતી છે કે, નહીં તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ પડોશી એ પણ ના પાડતા જણાવી દીધું હતું કે, તેઓને આ બાબતે કોઈપણ ખબર નથી. તેઓ તાત્કાલિક પોલીસ મથકે હાજર થયા અને તેમના ઘરે ચોરી થયા હોવાની ઘટના પોલીસમાં નોંધાવી હતી..
પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી. તેમના ઘરની તિજોરીમાંથી સોનાનું લોકેટ કે જેની કિંમત 85 હજાર રૂપિયા, સોનાની બુટ્ટી કે જેની કિંમત 27000, આ ઉપરાંત 28,000 ની અન્ય સોનાની વીંટી, ચાંદીના પાયલ, સોનાની ફેન્સી વીટી, સોનાની ચેન, સોનાનું પેન્ડલ, સોનાનો હાર, સોનાનું મંગળસૂત્ર સહિતની કુલ ₹1,93,500 એક રૂપિયાની ચોરી થયા હોવાનો મામલો સામે આવ્યો છે..
એક બાજુ તેઓ પોતાના પિતાના મરણનું દુઃખ ભૂલી શક્યા હતા નહીં. એવા તેમના ઘરે ચોરી થઈ જતા એક સાથે બે બે મોટી આફતો તેમના પર ત્રાટકી પડી છે. આટલું મોટું દુઃખ સહન કરવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે. નરેન્દ્રકુમારનું ઘર એક રાત માટે બિલકુલ ખાલી હતું. તેમના ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતા નહીં..
ચોરલુંટારાઓને ક્યાંક ને ક્યાંક આ વાતનો અંદાજો આવી ગયો હશે, એટલા માટે તેઓએ સમગ્ર સોસાયટીમાંથી માત્ર તેમના જ ઘરને નિશાને બનાવ્યું છે. અને કીમતી ચીજ વસ્તુઓ લૂંટી લીધી છે. આ તમામ ઘટનાઓ પરથી લાગી રહ્યો છે કે, આ ચોર લૂંટારો નક્કી તેમના જ કોઈ નજીકના વ્યક્તિઓમાંથી એક હશે કારણ કે તેઓના પિતાનું અવસાન થયું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]