આજકાલ કેટલાક લોકોને ખોટું સહેજ પણ સહન થતું નથી અને થવું પણ ન જોઈએ. જે વ્યક્તિ સાચો હોઈ પરંતુ કોઈ પરિસ્થિતિ તેને ખોટો સાબિત કરે તો મુંજાઈ ન જવું જોઈએ અને સમય આવતા લોકો સામે હકીકત દેખાડી મુસીબતોનો સામનો કરવો જોઈએ. હાલ ખુબ જ ચોંકાવનારો અને હચમચાવી દે તેવો એક બનાવ બની ગયો છે.
જે સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા છે તો કેટલાક લોકો વિચારવા પર મજબુર બન્યા છે. આ કિસ્સો સરકારી મંત્રાલયમાં કામ કરતા એક યુવકના પરિવારજનોનો છે. આ બનાવ રાયપુરથી સામે આવ્યો છે જ્યાં 32 વર્ષનો ઝંકાર ભાસ્કર તેના પરિવાર જનો સાથે ફ્લેટમાં રહે છે..
પરિવારમાં તેની પત્ની સુપ્રિતા ભાસ્કર, 3 વર્ષનો પુત્ર અંશુ અને 7 વર્ષની પુત્રી પરીનો સમાવેશ થાય છે. રાયપુરના રેલવે સ્ટેશન પર મંત્રાલયના કર્મચારી સંતોષ કંવરની કારની અંદરથી લાશ મળી આવી હતી. તે ઝંકારનો સાથી હતો. ઝંકાર સાથે સંતોષ બિલાસપુર પિકનિક માટે ગયો હતો. જ્યારે આ લોકો રાયપુર પરત ફર્યા ત્યારે સંતોષે સ્ટેશનમાં તેની કાર પાર્ક કરી અને તે આરામ કરવા લાગ્યો હતો..
અને ત્યારબાદ સંતોષનું થોડી જ વારમાં મોત થઈ ગયું હતું. રેલવે પોલીસ ઝંકાર અને તેના કેટલાક સહયોગીઓને પૂછપરછ માટે સતત બોલાવતી હતી. સુપ્રિતા અવારનવાર ઝંકારને ટોણો મારતી હતી કે તેણે સંતોષની હત્યા કરી હશે. પત્નીનો આ દાવો એટલા માટે હતો કારણ કે થોડા વર્ષો પહેલા ઝંકારના ભાઈએ તેની પત્નીની હત્યા કરી હતી અને હવે તે જેલમાં છે.
પત્ની અવારનવાર ઝંકારને લોહિયાળ પરિવારમાંથી હોવાનો ટોણો મારતી હતી. આ તમામ બાબતોથી કંટાળીને એક દિવસ તેણે તેના પરિવારને ખત્મ કરી નાખવાનો ઈરાદો બનાવી લીધો હતો. ઝંકાર ભાસ્કરે પહેલા તેની પત્ની સુપ્રિતા ભાસ્કર પર હથોડી વડે વાર કર્યો હતો, જેમાં સુપ્રિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
એ પછી તેણે તેના 3 વર્ષના પુત્ર અંશુ ભાસ્કર અને 7 વર્ષની પુત્રી પરી ભાસ્કરને પણ હથોડીના ઘા મારી દીધા હતા. સમગ્ર પરિવારને પતાવી દીધા બાદ પોતે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પોલીસને માહિતી મળી ત્યારે તેઓએ હોસ્પિટલમાં દાખલ મહિલા સુપ્રિતા ભાસ્કર પાસે પહોંચી હતી..
હાલ તેની હાલત ખુબ જ નાજુક છે. પારિવારિક વિખવાદના કારણે પરેશાન થઈને કર્મચારીએ આ પગલું ભર્યું છે. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આમાં ઝંકારે લખ્યું છે કે પત્ની ઘણીવાર જેલમાં બંધ ભાઈને ટોણા મારતી હતી અને પરિવાર વિરુદ્ધ વાત કરતી હતી જે બિલકુલ પસંદ ન હતી.
આ બાબતે રવિવારે રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ઝંકારે આ પગલું ભર્યું હતું. ઝંકારે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મને ખબર છે કે માતા-પિતા વિના બાળકોનું જીવન કેવું હોય છે, મેં મારી પત્નીની હ.ત્યા કરી છે અને મારો જીવ પણ આપી રહ્યો છું. આવી સ્થિતિમાં, મજબૂરીના કારણે, તેઓએ તેમના બાળકોને પણ મારવા પડે છે, જેથી તેમને ભવિષ્યમાં ખરાબ જીવન જીવવું ન પડે. હું તેના માટે દિલગીર છું, મને માફ કરો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]