મધ્ય પ્રદેશ રાજ્યના મુરે તાલુકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આપણે અવારનવાર સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિશે સાંભળ્યું હશે. પરંતુ આ કિસ્સામાં એકદમ ઊલટું છે. એક મહિલા દ્વારા તેના પતિ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. આ બાબતની જાણ આસપાસના વિસ્તાર માં થતા ચકરારમચી ગયો છે.
મધ્યપ્રદેશ રાજ્યના મુરે તાલુકામાં કલ્યાણ સિંહ કુશવાહ અને તેનો પરિવાર રહે છે. તેના પરિવારમાં તેનો 26 વર્ષે પુત્ર રઘુરાજ કુશવાહ અને 23 વર્ષે પુત્રવધુ રાજકુમારી તેમજ તેની પત્ની રહે છે.રઘુરાજ જયપુરની ખાનગીકંપની માં નોકરી કરે છે. રઘુરાજ કુશવાહના લગ્ન 2 વર્ષ પહેલા રાજકુમારી સાથે થયા હતા.
તે બંને વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતને લઈને ઝઘડા થતા હતા. પરંતુ ગઈકાલે તો સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે એવો બનાવો બન્યો છે. રઘુરાજ અને રાજકુમારી વચ્ચે કોઈ કારણને લીધે ઝઘડો થયો હતો. જેથી રઘુરાજ એ તેની પત્નીને એક થપ્પડ માર્યો હતો. જે રાજકુમારીથી સહન ના થયું હતું. ત્યારબાદ રઘુરાજ એ તેની પત્નીનું એક નવું રૂપ જોવા મળ્યું હતું.
રાજકુમારી તેના પતિને ખૂબ જ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત રઘુરાજના શરીર પર વિવિધ જગ્યાએ દાંત વડે ધારદાર નિશાનો પણ બનાવી દીધા હતા. રઘુરાજની ચીસો સાંભળીને તેના માતા-પિતા તેને રૂમમાં દોડી આવ્યા હતા. એ સમયે કલ્યાણ સિંહ એ જે જોયું તે જોઈને તેની આંખો ફાટી રઈ હતી.
રઘુરાજ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તરત જ હોસ્પિટલ દાખલ કરવો પડ્યો હતો. કલ્યાણસિંહ કુશવા એ તેની પુત્રવધુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતી વખતે પિતા કલ્યાણ સિંહને જણાવ્યું હતું કે અગાઉ પણ તે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા.
પરંતુ ઘરની વાત છે તેમ વિચારીને તેણે પુત્રવધુ ને ઘણીવાર સમજાવી હતી. પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી. પોલીસ સ્ટેશનના મુખ્ય પોલીસકર્મી બલવીર યાદવ ના જણાવ્યા પ્રમાણે તેમણે પુત્રવધુ રાજકુમારીને પૂછપરછ માટે બોલાવી છે. તેમજ આ સમગ્ર મામલે તપાસ બાદ તેના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવશે એવું જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]