જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં દરેક દિવસો સરખા હોય તેવું શક્ય નથી અમુક વખત તેજીનો માહોલ હોય છે. તો અમુક વખત ઘોર કાળી મંદીનો માહોલ પણ સર્જાઇ જતો હોય છે, તેજીના માહોલની અંદર વધારે પૈસા જોઈને ક્યારેય પૈસાની રેલમછેલ પણ બોલાવી દેવી ન જોઈએ..
અને મંદીના માહોલની અંદર પૈસાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, જો તેજી અને મંદી જેવા પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર મન ફાવે તેમ પૈસા વાપરવામાં આવે તો એવા પરિવાર આગળ જતા એકને એક દિવસ જરૂર પછતાતા હોય છે, અને એ વખતે પછતાવો કર્યા પર પણ કોઈ ફાયદો થતો નથી..
સમાજમાં મોટું નામ કરવા માટે લોકો અઢળક રૂપિયાનો દેખાડો કરી નાખે છે, પરંતુ તેઓ ક્યારેય પોતાની હકીકતને સ્વીકારતા નથી. હાલ ઘણા બધા ધંધાઓમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, એવામાં એક યુવકે પરિવારનો પાયો ડખબખે નહી એટલા માટે પોતાની પત્નીને વધારાના ખર્ચા કરવાની મનાઈ કરી હતી અને બસ આજ શબ્દોનું તેની પત્નીને ખૂબ જ માઠું લાગી ગયું હતું..
અને તેણે એવડું મોટું પગલું ભરી નાખ્યું કે, સમગ્ર પરિવારને રોવાનો વારો આવી ગયો હતો. ખરાબ પરિસ્થિતિની અંદર પતિ અને પત્ની જો બંને એકબીજાને સાથ સહકાર આપીને ઘરસંસાર ચલાવે તો તેઓને ક્યારેય પણ વાંધો આવતો નથી, પરંતુ અત્યારે રમીલા નામની એક મહિલા તેના પતિની વાતને સમજી શકી નહીં અને તેને તેના પતિના શબ્દોનો માઠું લાગી જવાને કારણે તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું..
આ બનાવ ઉર્મિલા નગરમાં રહેતા કિશોરભાઈના પરિવાર માંથી સામે આવ્યો છે, કિશોરભાઈ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને છેલ્લા છ મહિનાથી તેઓને તેમના ધંધાની અંદર ઘણી બધી નુકસાનીઓ થઈ હતી. ઓછા પૈસામાં પરિવાર કેવી રીતે સુખ શાંતિથી જીવન જીવી શકે તેનો વિચાર કરીને તેઓ એવો નિર્ણય લીધો હતો કે, તેઓ અત્યારથી જ અન્ય વધારાના ખર્ચાઓમાં ખૂબ જ ધ્યાન આપશે..
અને આ વાતની જાણકારી તેઓ તેમની પત્નીને પણ આપશે, એ અનુસાર તેઓએ તેમની પત્ની રમીલાબેન ને જણાવ્યું હતું કે, આપણે અત્યારે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ. જેમાં કમાણી ખૂબ જ ઓછી છે, પરંતુ પૈસા વાપરવાના સાધનો ખૂબ જ વધારે છે. એટલા માટે આપણે હવે પૈસા વાપરવાની અંદર ખૂબ જ ધ્યાન રાખવું પડશે..
હું પણ કોઈ વધારાના ખર્ચા નહી કરું અને તારે પણ કોઈ વધારાના ખર્ચા કરવાના નથી, બસ આ વાતનું રમીલાબેનને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને બીજા દિવસે સવારના સમયે તેઓએ પોતાના ઘરે પડેલી ઝેરી દવાના ટીકડા પીઈને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધો હતો, બીજા દિવસે જ્યારે સવારમાં કિશોરભાઈ ઉઠ્યા ત્યારે તેઓએ જોયું તો..
રમીલા તેમના ઘરના પાછળના રૂમમાં મૃત હાલતમાં દેખાઈ આવી હતી અને ત્યાં નજીકથી એક અંતિમ નોટ પણ મળી હતી, જેની અંદર તેણે લખ્યું હતું કે તે હવે આગળનું જીવન જીવી શકશે નહીં તેના જ્યારે લગ્ન થયા હતા, ત્યારે તેને વચન આપવામાં આવ્યું હતું કે, તેને ક્યારેય પણ કોઈ અગવડતા પડશે નહીં અને ક્યારેય પણ કોઈ આર્થિક સંકડામણની અંદર જીવન જીવવું નહીં પડે..
પરંતુ અત્યારે તેને જીવન જીવવા માટે જેટલી મોકળાશ જોઈએ તેટલી ન મળવાને કારણે હવે જીવન જીવવાનો કોઈ અર્થ રહ્યો નથી, એમ કહીને તેઓ યાદ કરીને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને લઇ હાલ દરેક જગ્યાએ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને આ લેખને સૌ કોઈ લોકો પોતાના ફેમિલી ગ્રુપની અંદર પણ મોકલી રહ્યા છે..
કારણ કે આવા સમયની અંદર પતિ પત્નીનો સાથ સહકાર જરૂરી હોય છે, પરંતુ એવા જ સમયની અંદર કિશોરભાઈ ને તેમની પત્ની સાથ છોડીને જતી રહી હતી. આ ઘટના ખૂબ જ હચમચાવી દેતી સાબિત થઈ ચૂકી છે. જોત જોતામાં આ સમાચાર એટલા બધા ફેલાયા કે મંદીના સમયનું ભાન સૌ કોઈ લોકોને કરાવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]