દેશમાં લોકોની સેવા માટે જવાનો એક પગે ઉભા રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. અવારનવાર જવાનો સાથે બનતી જીવલેણ ઘટના ખૂબ જ બનતી જોવા મળી રહી છે જેમાં ઘણા બધા જવાનો શહીદ થઈ રહ્યા છે અને તેઓ પોતાના પરિવારથી વિખુટા થઈ જાય છે. તેમના બાળકો પણ નિરાધાર બની જાય છે.
જવાનો સાથે જીવલેણ ઘટના બનતા તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા તેઓને ઘણી બધી સહાય કરવામાં આવી રહી છે પરંતુ તેઓ પોતાના અંગત વ્યક્તિઓનો આઘાત ભૂલી શકતા નથી. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક જવાન શહીદ થયા હતા. આ જવાન સાથે જમ્મુ કશ્મીરમાં દુર્ઘટના બની ગઈ હતી.
શહીદ થયેલા જવાનનું નામ નરેશસિંહ હતું. તેઓ પોતાના પરિવાર સાથે ઝુંઝુનું શહેરના બગાડમાં બાયપાસ વિસ્તારમાં રહેતા હતા. નરેશભાઈ ત્રણ ભાઈઓમાં વચલા હતા. તેના મોટાભાઈનું નામ સુરેશ સિંહ હતું અને નાના ભાઈનું નામ મુકેશ સિંહ હતું. નરેશભાઈને એક દીકરો અને દીકરી હતી. દીકરો ધોરણ 3 માં અભ્યાસ કરતો હતો.
તેમની દીકરી ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. હરિયાણાના ભવાની જિલ્લામાં આવેલા સાંગવાન ગામના રહેવાસી હતા પરંતુ તેઓનું પોસ્ટિંગ આગ્રામાં થયું હોવાને કારણે તેઓ આગ્રામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓએ આગ્રામાં ઝુંઝુનુના બગાડમાં જમીન લીધી હતી અને ત્યાં તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું.
પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી તેઓ રહેતા હતા. તેમની દીકરીનું નામ માનવી હતું. તેની ઉંમર 11 વર્ષની હતી. તેમના દીકરાનું નામ નમન હતું. તેની ઉંમર સાત વર્ષની હતી. નરેશ સિંહની પત્નીનું નામ સુદેશ હતું. નરેશસિંહની પોસ્ટિંગ આગ્રામાં થઈ હતી જેને કારણે તેઓ 5-6 દિવસ પહેલા જ ઝૂઝનું આવ્યા હતા.
તેઓ શ્રીનગર જવા માટે રવાના થયા હતા. તેઓને કોઈ કામ હોવાને કારણે પોતાની ફરજ પર ગયા હતા. તે સમયે અચાનક જ આંતકી હુમલો આર્મી કેમ્પ પર કરવામાં આવ્યો હતો. દરહાલ વિસ્તારમાં લગભગ સાંજના સમયે આ ઘટના બની હતી. હુમલો તેમજ ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ જવાનો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.
બાકીના જવાનોને નાની મોટી ઈજા થવાને કારણે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં નરેશસિંહને ખૂબ જ ઈજા થઈ હતી. તેને કારણે તેને મીલેટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે સમયે તેનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. જેને કારણે તેમના મોટાભાઈ સુરેશસિંહને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તેના પરિવારમાં નરેશ સિંહ સાથે તેના મૃત્યુની ઘટનાની જાણ થતા પરિવાર આઘાતમાં આવી ગયું હતું. તેના બંને બાળકો નિરાધાર થઈ ગયા હતા. તેની પત્ની પોતાનું ભાન ભુલાવી બેઠી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે પરિવારના લોકો પોતાના અંગત સભ્યોને ગુમાવી રહ્યા છે. તેઓ નિરાધાર બન્યા છે.
દેશના જવાનો સાથે આવી ઘટનાઓ બની રહી છે અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દેશના રક્ષણ માટે એક પગે ઊભા રહીને તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. છતાં પણ દેશની ગર્વ પૂર્વ સેવા કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]