હવે તો નોકરી ધંધાના સ્થળો પણ સુરક્ષાવાળા નથી રહ્યા, જુદા જુદા વિસ્તારોમાંથી ખુબ માઠા બનાવો સામે આવી રહ્યા છે જે જાણીને સામાન્ય માણસોની આંખો પહોળી થઈ જાય. અત્યારે મધ્ય પ્રદેશના ટીલા જમાલપુરા વિસ્તારમાં આવો જ એક બનાવ નોંધાયો છે. આ બનાવને પગલે પોલીસની ગાડીઓ પણ તાત્કાલિક દોડતી થઇ છે..
ડીઆઈજી બંગલા વિસ્તારની કોલોનીમાં 36 વર્ષની મહિલા પોતાના પતિ સાથે રહે છે અને તે વ્યવસાયે ડૉક્ટર છે. અને તેનો પતિ પણ ડૉક્ટર છે. બંને ટીલા જમાલપુરા વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે. તેના ક્લિનિકમાં રિહાન નામનો યુવક કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ મહિલા ડોક્ટર રીહાણ ઉપર ખુબ જ વિશ્વાસ મુકતી હતી..
કારણ કે રીહાન ખુબ જ મહેનત અને પ્રેમથી પોતાનું કામ કાજ સંભાળી રહ્યો હતો. પરતું આ વિશ્વાસે જ મહિલા ડોક્ટર સાથે ન કરવાનું કરી લીધું છે. એક દિવસ મહિલા ડોક્ટરનો પતિ કોઈ કામ અંગે કલીનીકની બહાર ગયો હતો. મહિલા ડોક્ટર કલીનીકમાં એકલી હતી. ત્યારે રીહાન નામનો આ કમ્પાઉન્ડર તેના કેબીનમાં ઘુસી આવ્યો અને ખુબ જ ખરાબ ખરાબ વાતો કરવાની કોશિશ કરતો હતો..
મહિલા ડોકટરે તેને પોતાની કેબીનમાંથી બહાર જવા માટે જણાવ્યું અને ફરી ક્યારેય આવી ભાષાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. પરતું આ નરાધમ કમ્પાઉન્ડર એક નો બે ન થયો અને મહિલા ડોક્ટરને બાથમાં ભીડીને ખુબ જ ખરાબ કામ આચરવા લાગ્યો હતો. મહિલા ડોક્ટર અન્ય કોઈ બાબત વિચારે એ પહેલા જ આ કમ્પાઉન્ડરે તેને ધમકી પણ આપી કે..
જો તું તારા પતિને કે અન્ય કોઈ વ્યક્તિને આ બાબતની જાણ કરીશ તો બધા જ લોકો જીવથી જશો, મહિલા ડોક્ટર ખુબ જ હેબતાઈ ગઈ અને આ બધું ચુપચાપ સહન કરતી રહી, પરતું તેને બદનામ કરવાની ધમકી આપીને આ નરાધમે બીજીવાર પણ લાજ લુંટવાની કોશિશ કરી હતી. મહિલાએ જેમ તેમ કરી તેને ક્લિનિકમાંથી કાઢી મૂકયો હતો.
અંતે કંટાળી જઈને મહિલા ડૉક્ટરે જમાલપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને કમ્પાઉન્ડર વિરુદ્ધ .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક અડપલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ ચલાવીને કમપાઉન્ડરની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે. આ બનાવે લાજ શરમને નેવે મૂકી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]