Breaking News

“તું ડાકણ છો” એમ કહીને ગામના સગા-સબંધીઓએ મહિલા અને તેના પતીને ઢોર માર માર્યો.. વાંચો.!

રાજ્યમાં અંધશ્રદ્ધા અને કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં અનેક વ્યક્તિઓના મોત પણ નિપજ્યા છે. જયારે કેટલાય લોકો પીડાઈ રહ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતના દાહોદ જિલ્લાના ડુંગરા ગામે અંધશ્રદ્ધાનો એક બનાવ બન્યો છે. જેમાં પતિ અને પત્ની ને ઢોર માર મારવામાં આવ્યો હતો..

ડુગરા ગામમાં પતિ અને પત્ની રાજીપે પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. પરંતુ એક દિવસે અચાનક જ ગામમાં રહેતા તેમના સગા-સંબંધીઓ અને નજીકના પાડોશીઓ તે મહિલા ડાકણ છે તેમ કહીને તેની પાછળ મારવા માટે દોડ્યા હતા. આખા ગામે તેઓને ઢોર માર માર્યો હતો..

જેના લીધે તેઓની હાલત ખુબ ગંભીર છે. ગામના લોકો તેમજ તેના સગા સંબંધીઓ કહેવું એમ છે કે આ મહિલા ડાકણ છે અને તેણે ગામના અનેક લોકોનો જીવ લીધો છે. તેમજ તેમના પશુ પ્રાણીઓને પણ મારી નાખ્યા છે. તેથી તે મહિલા અને તેના પતિને ગામ માંથી કાઢી મુકવા માટે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આજે પણ અંતરિયાળ ગામડાઓમાં અંધશ્રદ્ધાનું ભૂત લોકોના મનમાંથી નીકળયુ નથી. ખોટા આક્ષેપો અને વહેમ માં રહીને એકબીજા પર હુમલો કરીને લોકોના જીવ લેવા તે કેટલું યોગ્ય બને?  અંધશ્રદ્ધાને કાબુમાં લાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ ગામડામાં અંધશ્રદ્ધાને જળમૂળમાંથી કાઢી શકાયું નથી.

જેના લીધે મહિલાઓ સાથે અત્યાચાર થાય છે જેમ કે તેઓને તેલમાં હાથ નાખવામાં આવે છે, અથવા તો ખુલ્લા પગે કોલસા પર ચલાવવામાં આવે છે, તેમજ સાંકળ વડે ઢોરમાર મારવામાં આવે છે… વગેરે જેવા અત્યાચાર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

પરંતુ આ અંધશ્રદ્ધા નો અંત ક્યારે આવશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.. અત્યારે પોલીસે આ મારામારીના કેસમાં ગામના 4 લોકોની ધરપકડ કરી છે અને આગળની કામગીરી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *