Breaking News

‘દહેજ નહી લાવે તો જીવતી સળગાવી દેશું’ કહીને સાસરીયાવાળાએ મહિલાને તેની દીકરી સાથે ઘરમાંથી ઘા કરી દીધી, અને પછી તો થઈ જોવા જેવી…!

પૈસા એવી વસ્તુ છે કે જે ભલભલા લોકોને ગરીબી અને ભૂખ માંથી બહાર કાઢીને સુખી જીવન આપે છે. તો કેટલાક લોકો માટે આ પૈસા આફત પણ બની જતા હોય છે. પૈસાને કારણે સગા ભાઈઓ ભાઈઓ પણ દુશ્મનની જેમ બાખડી પડતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે. જીવનમાં સુખેથી જિંદગી જીવવાને બદલે પૈસાની પાછળ દોટ મૂકીને કેટલાય લોકો ન કરવાના કામો પણ કરી બેસે છે..

જેમાંથી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વધુ એક મહિલાને પોતાના સાસરીયાઓ તરફથી સતત ત્રાસનો અનુભવ થવા લાગ્યો હતો. કારેલીબાગમાં સુનિતા નામની મહિલા રહે છે. તે આજથી સાત વર્ષ પહેલા સૂરજ મોરે નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. સુરજ મોરે ધીમે ધીમે સુનીતાની ખૂબ જ નજીક આવવા લાગ્યો અને થોડા સમય પછી તેણે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો હતો..

પરંતુ સુનીતાના લગ્ન આ અગાઉ એક વ્યક્તિ સાથે થઈ ચૂક્યા હતા. એટલા માટે સુનીતા તેની સાથે લગ્ન કરવા માટે ખૂબ જ અંચકાઈ રહી હતી. પરંતુ સૂરજ તેને દિવસેને દિવસે ધમકી આપવા લાગ્યો કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું અત્યારે જ મરી જઈશ. પણ આ ઉપરાંત સુરજ મોરેના માતા-પિતા પણ સુમિતાને દબાણ કરવા લાગ્યા કે તું અમારા દીકરા સાથે લગ્ન કરી લે..

અંતે કંટાળી જઈને લગ્ન માટે હા પાડી દીધી હતી. ત્યારબાદ બંનેના લગ્ન પણ થયા સુનિતા વિચાર્યું કે, હવે તે સુખી જિંદગી જીવશું. પરંતુ સૂરજની કાળી કરતુતો દિન પ્રતિદિન સામે આવવા લાગી હતી. લગ્નના થોડા દિવસોમાં સુરજ તેને માર મારવા લાગ્યો હતો. અને ઘરમાંથી કાઢી મૂકતો. સુનિતાની માતાએ સુનિતાના સાસરીયાઓને આજીજી કરી હતી..

અને પોતાની દીકરીનો ઘર સંસાર બચાવવા માટે પોતાની શરમ નેવે મૂકીને હાથ જોડી દીધા હતા. પરંતુ સૂરજ અને તેનો પરિવાર નાની-નાની બાબતોમાં સુમિતાને ખૂબ જ ત્રાસ પહોંચાડવા લાગતો. આ ઉપરાંત તે દહેજની માંગણી કરતા અને છૂટાછેડીની ધમકી પણ આપવા લાગ્યા હતા..

સુનિતા વિચાર્યું કે, એક વખત તે કોઈ સંતાનને જન્મ આપી દે, ત્યારબાદ પરિવારજનો ખુશીના માહોલમાં ચાલ્યા જશે અને આ તમામ હેરાનગતિ બંધ થઈ જશે. પરંતુ સુનિતાએ દીકરીને જન્મ આપ્યા બાદ તો વધારે પડતો ત્રણ સહન કરવાનો વારો આવ્યો હતો. સુનીતાના જેઠાણી પણ સુનીતાને ખૂબ જ માઠા વેણ વચનો બોલતા હતા…

આ ઉપરાંત સુરજ તેની પાસે રહેલા તમામ પૈસાને દારૂ પીને ઉડાડી નાખતો હતો અને ઘરે આવી તે સુનીતાને ઢોર મારતો એક દિવસ તો એ દારૂના નશામાં આવ્યો હતો. અને સુનીતા અને તેની દીકરી સાથે ઘરમાંથી ઘા કરી દીધી અને કહ્યું કે, જો તું તારા પિયરથી દહેજ નહીં લાગે તો તને જીવતી સળગાવી દઈશું..

સુનિતા પોતાની દીકરીને લઈને પોતાના પિયરે ગઈ અને આ તમામ ઘટનાની જાણ કરી હતી. સુનીતાના માતા-પિતા સમાધાન કરવા માટે સાસરે આવ્યા હતા પરંતુ માતા-પિતાનું અપમાન કરીને કાઢી મૂક્યા હતા. ત્યારબાદ સુનીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેના સાસરીયાઓ સમક્ષ આ તમામ બાબતોની જાણ કરી હતી. અને ત્રાસ આપવાની ફરિયાદ પણ નોંધાવી છે જેને લઈને તેના સાસુ સસરા સીધા દોર થઈ જશે તેવી આશા સૌ કોઈ લોકોને છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *