હાલ અમુક બનાવ એવા બને છે કે જેના વિશે જાણવું પણ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. આજથી ત્રણ દિવસ પહેલા રાજકોટ શહેરમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ ભારે વરસાદ વરસવા છતાં પણ જે લોકો નોકરીએ જાય છે તેવા લોકોને દરેક મુશ્કેલીઓનો સામનો કરીને નોકરીએ જવું પડતું હોય છે..
રાજકોટના વિનોદ નગરમાં કિશોરસિંહ ઝાલા તેમના પરિવારજનો સાથે રહે છે. તેમની ઉંમર 60 વર્ષની છે. તેઓ રોજની જેમ સવારના સમયે ટિફિન લઈને પોતાની કંપનીએ નોકરીએ પહોંચતા હતા. તેઓ સાયકલ લઈને એક દિવસ સવારના સમયે કંપનીએ નોકરી માટે જતા હતા તેવામાં અચાનક જ તેઓ ગુમ થઈ ગયા હતા. અને તેઓ કંપનીએ પહોંચ્યા હતા નહીં.
સાંજના સમયે પણ તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધ ખૂબ શરૂ કરી દીધી હતી. પરંતુ કિશોરસિંહ ઝાલાનો કોઈ પણ અતોપતો મળ્યો હતો નહીં. એટલા માટે પરિવારજનોએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી. અને પરિવારના મોભી કિશોરસિંહને તાત્કાલિક ધોરણે ગોતી પાડવા માટે પોલીસને જણાવ્યું હતું..
પોલીસ પણ તેમને ગોતવામાં લાગી ગઈ હતી. પરંતુ બીજા દિવસે રામનાથ પરા સ્મશાનના પાછળના ભાગમાં આજે નદીની બાવળની જાડીની અંદર એક અજાણીય વ્યક્તિનો મૃતદેહ નદીની સાડીમાં ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ જાણ તેની સાથે જ આસપાસના લોકોએ બ્રિગેડને જાણ કરી હતી. અને મૃતદેહએ બહાર કાઢ્યો હતો..
અને તેની ઓળખ મેળવવાની તાજવીજ પણ શરૂ કરી દીધી હતી. તપાસ કરતાં જણાવ્યું કે આ મૃતદેહ કિશોરસિંહ ઝાલાનો છે. કે જેમની ઉંમર 60 વર્ષની છે. આ માહિતીના આધારે પોલીસે પરિવારજનોને પણ જાણ કરી હતી અને સિવિલ હોસ્પિટલમાં બોલાવ્યા હતા. ત્યાં પરિવારજનોએ તેમના ઘરના મોભી કિશોરસિંહ ઝાલાને ઓળખી બતાવ્યા હતા..
પોલીસે જણાવ્યું કે તેઓ જ્યારે સાયકલ લઈને નોકરીએ જતા હતા. ત્યારે વિવેકાનંદના વકળા પાસે તેઓ નદીમાં તણાઈ ગયા હતા. પાણીના પ્રવાહમાં ખેંચાઈ જવાને કારણે તેઓનું મૃત્યુ થયું છે. અને તેમનો મૃતદેહ સ્મશાન પાછળના પુલ પાસેથી મળી આવ્યો છે. આ બાબત સાંભળતા જ પરિવારના તમામ સભ્યો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા.
કિશોરસિંહ ઝાલાને સંતાનમાં ત્રણ દીકરી છે. તેઓને પરિવારમાં બે ભાઈઓ છે જેમાં કિશોરસિંહ સૌથી મોટા ભાઈઓ છે. તેના નાના ભાઈનું માત્ર બે વર્ષ પહેલાં જ અવસાન થયું હતું એટલે કે પરિવારની તમામ જવાબદારી તેમના ઉપર હતી. પરંતુ પરિવારના મોભીનું મૃત્યુ થવાથી પરિવારના તમામ સભ્યોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. તેમજ અરેરાટીનો માહોલ સર્જાયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]