Breaking News

કોન્સટેબલની પત્નીને દાદા સાથે પ્રેમ થઈ જતા કોન્સ્ટેબલે પ્રેમીને આપ્યું ગંભીર મોત, ઘટના સાંભળી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

પતિ-પત્નીની વચ્ચે પ્રેમી અથવા પ્રેમિકા આવી જતા મામલો ખુબ મોટા ઝઘડા સુધી પહોંચી જાય છે. અને ઘણીવાર તો હત્યા પણ કરી નાખવામાં આવતી હોય છે. હાલ એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળતાની સાથે જ બધા લોકોના રૂવાટા બેઠા થઈ ગયા છે. આ બનાવ મુંબઈના ઇન્ડોફિલ વિસ્તારમાંથી સામે આવ્યો છે..

અહીંયા શિવ શંકર ગાયકવાડ તેની પત્ની મોનાલી ગાયકવાડ સાથે રહેતો હતો. પરંતુ શિવશંકર અવારનવાર તેની પત્ની મોનાલી ઉપર શંકા કરતો હતો અને કહેતો હતો કે તું અન્ય કોઈ યુવક સાથે વાતચીત કરે છે. શિવ શંકર પોતે મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા..

એટલા માટે તેની પત્ની મનાલી તેને મૂકીને મુંબઈના અકલકોટ વિસ્તારમાં રહેવા માટે ચાલી ગઈ હતી. આ પહેલા તેઓ મુંબઈના વરલી વિસ્તારમાં રહેતા હતા. આ મહિલા બીજે રહેવા ગઈ ત્યાં દાદા જગદાલે નામનો એક યુવક રહેતો હતો. આ યુવક સોલાપુરનો હતો. જ્યારે મોનાલી પણ સોલાપુરની હતી એટલા માટે મોનાલી દાદાને સારી રીતે ઓળખતી હતી..

અને ધીમે-ધીમે મિત્ર બની ગયા હતા અને તેમની આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પણ રૂપાંતરિત થઇ ગઇ હતી. રોજ તેઓ એટલા નજીક આવવા લાગ્યા હતા કે તેઓ એકબીજાની સાથે સમય વિતાવવા લાગ્યા હતા અને એકબીજા સાથે રહેવા લાગ્યા હતા. આ બાબતની જાણ જ્યારે કોન્સ્ટેબલ શિવ શંકરને થઇ ત્યારે તેણે તેની પત્નીને અકલકોટ માંથી લઈને મુંબઈ પોતાની પાસે લઈ આવ્યો હતો..

અને તેને સમજાવી હતી કે ફરી ક્યારેય યુવક સાથે વાત ન કરે. પરંતુ દાદા નામનો આ યુવક અવારનવાર મોનાલી સાથે વાતચીત શરૂ રાખતો હતો એટલા માટે એક દિવસ શિવ શંકર ગાયકવાડનો પિત્તો હલી ગયો હતો અને તેણે તેની પત્ની મોનાલીના પ્રેમી દાદાને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો..

આ પ્લાન મુજબ તેણે દાદાને મુંબઈની બહાર એક જગ્યા પર બોલાવ્યો હતો. જ્યાં તેની ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ તેના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. તેમજ તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું હતું અને ત્યારબાદ તેને સળગાવી દેવામાં આવ્યો હતો. પોતાના પ્રેમ સંબંધનો જાહેરાત બહાર ન થાય એટલા માટે તેની પત્નીએ પણ આ હ્ત્ત્યામાં તેનો સાથ આપ્યો હતો..

અડધી સળગેલી લાશ તેમજ માથું ધડથી અલગ થઇ ગયેલી અને જુદા જુદા ટુકડામાં પોલીસને જ્યારે લાશ મળી ત્યારે પોલીસ પણ બે ઘડી ચક્કર ખાઈ ગઈ હતી કારણ કે આ હત્યા આટલી બધી ઘાતકી રીતે કરવામાં આવી હતી કે ન પૂછો વાત. આ હત્યા ક્યા આધાર પર હત્યા કરવામાં આવી છે..

તે વિચારો પર સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા અને હાથ પર ટેટુ બનાવેલો હતો આ ટેટુ આધાર પર પોલીસે મૃત વ્યક્તિની તમામ ઓળખ મેળવી લીધી હતી. અને ત્યાર બાદ કેસ દાખલ કરીને આ હત્યામાં જોડાયેલા શિવ શંકર તેમજ તેની પત્ની મોનાલીને ઝડપી પાડવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *