રોજ રોજ આપઘાતના ઢગલા મોઢે બનાવો સામે આવવા લાગ્યા છે. જ્યારે વ્યક્તિ જીવનના તમામ દુઃખોથી લડીને કંટાળી જાય તેમજ હતાશ થઈ જતો હોય ત્યારે તે અંતે આપઘાતનું પગલું ભરે છે. ખૂબ જ ચોંકાવનારા આપઘાતનો એક બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરણીતાએ આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી લીધી છે..
આ મહિલા અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી હતી. પોતાના પતિ સાથે ખૂબ જ સુખી લગ્નજીવન ગાળી રહી હતી. આ લગ્નજીવન દરમ્યાન તેને બે સંતાનો પણ જન્મ્યા છે. જેમ જેમ લગ્નજીવન પસાર થતું ગયું તેમ તેમ આ મહિલા અન્ય એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં બંધાતી જતી હતી..
તે મનીષ નામના એક યુવક સાથે ગાઢ પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી. તે પોતે બે સંતાનોની માતા હોવા છતાં પણ તે આ યુવકને પ્રેમ કરતી અને બંને રંગીન પણ વિતાવવા માટે ઘરથી દૂર ચાલ્યા જતા હતા. બે સંતાનોની માતા આ યુવકના પ્રેમમાં આટલી બધી પાગલ થઈ ગઈ હતી કે, બંને બાળકોને રખડતા મૂકીને તે અવારનવાર તેના પ્રેમી સાથે ફરવા ચાલી જતી હતી..
આ તમામ બાબતોથી મહિલાનો પતિ અજાણ હતો. એક દિવસ મહિલાનો પતિ કામકાજ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને તેની પત્નીને કેટલી બાટલી દૂધ લેવાનું છે..? એ પૂછવા માટે ફોન કર્યો હતો. પરંતુ ચારથી પાંચ રીંગ વાગી ગઈ છતાં પણ ફોન ઉઠાવ્યો નહીં, અને ફરી એક વખત ફોન કરતા તેની ચાર વર્ષની નાનકડી દીકરીએ ફોન ઉપાડીને રડવા લાગી હતી..
અને જોર જોરથી મમ્મીની બુમો પાડતી હતી. એટલું સાંભળતા જ મહિલા ના પતિને જાણ થઈ કે ઘરમાં કંઈક દુઃખદ બનાવો બન્યો છે. યુવક મનોમન ગભરાવા લાગ્યો હતો અને ફટાફટ પોતાના ઘરે પહોંચ્યો અને ઘરે જઈને જોયું તો તેની પત્ની પંખા સાથે લટકી રહી હતી. આ દ્રશ્યો જોતા જ તે એકાએક ચીસાચીસ કરવા લાગ્યો હતો..
તેણે આસપાસના લોકોની મદદથી તેને નીચે ઉતારી હતી અને ત્યારબાદ ફટાફટ 108 ને ફોન કરી નજીકની હોસ્પિટલમાં સાંભાર માટે ખસેડી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબ હોય તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ તેની લાશને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપી હતી. આ તમામ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી..
પોલીસે મહિલાના ઘરમાં તપાસ કરતા એક સોસાયટી નોટ પણ મળી આવી હતી. જેમાં પરણીતાએ લખેલું હતું કે, હું મારા બંને લાડકવાયા દીકરાઓને રખડતા મૂકીને જાવ છું. એટલા માટે મને માફ કરી દેજો. મેં મારી જિંદગીમાં ખૂબ જ મોટી ભૂલ કરી છે. અને મેં પરણિત તેમજ બે સંતાનોની માતા હોવા છતાં પણ એક યુવકને પ્રેમ કરી બેસ્યો છે..
પરંતુ આ યુવક મારી સાથે સાથે અન્ય કેટલી મહિલાઓ સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. અને આ યુવકે મને માત્ર શારીરિક સંબંધ માટે જ વાપરી છે. તે મને ઉલ્લુ રમાડીને મારા શરીર સાથે રમત કરી ગયો છે. જ્યારે મને જાણ થઈ કે મારો પ્રેમી અન્ય કેટલી મહિલાઓ સાથે રખડી રહ્યો છે. અને તેની સાથે ખરાબ સંબંધો પણ બાંધી રહ્યો છે..
ત્યારે હું ખૂબ જ હતાશ થઈ ગઈ હતી અને આ દુઃખને હું સહન કરી શકું તેમ નથી. એટલા માટે હું આ સંબંધોથી કંટાળી જઈને આપઘાત કરું છું. આ શબ્દો સાંભળીને મહિલાનો પતિ એકાએક સ્તબ્ધ થઈ ગયો હતો અને તેના બંને બાળકો વિશે વિચારવા લાગ્યો કે, આપણે આ બંને બાળકોનો શું કે, તેઓએ આજે તેમની માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે..
આ ઉપરાંત આ મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, આ યુવક શ્રીનાથ વાળી ગલીમાં રહે છે. તેમજ તેને રાણીપ વિસ્તારમાં પાર્લર વાળી ઘણી બધી મહિલાઓ સાથે ખરાબ સંબંધ છે. આ યુવક એક મોટર ગેરેજ ચલાવે છે. અને તેને મારા મોત પાછળની જરૂરી સજા મળવી જોઈએ. આ અંતિમ ચિઠ્ઠીના આધારે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]