Breaking News

ચાર દિવસથી બંધ પડેલી બસના સોફાની બારી ખોલતા જ ડ્રાઈવર સહીત કંડકટરને પણ આવી ગયા ધોળા દિવસે અંધારા, મુસાફરો પણ માથા પકડી ગયા..!

કેટલીક વખત મુસાફરી દરમિયાન સામાન્ય વ્યક્તિઓ સાથે ખૂબ જ મોટા પણ બની જતા હોય છે. મુસાફરી કરતી વેળાએ દરેક વ્યક્તિ પોતાની કીમતી ચીજ વસ્તુઓની સાથે સાથે પોતાનું પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. છતાં પણ આવનારા બનાવો અવારનવાર સામે આવે છે. મધ્યપ્રદેશના જબલપુરમાંથી ખૂબ જ વિચિત્ર બનાવો સામે આવી ગયો છે..

જબલપુરમાં દિન દયાળ બસ સ્ટેશન પર રોજની હજારો બસ અવરજવર કરે છે. આ બસ સ્ટેન્ડમાં કેટલીક બસોનું પાર્કિંગ પણ કરવામાં આવતું હોય છે. જ્યારે મધ્યપ્રદેશનો જ એક રહેવાસી દિન દયાળ બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો. ત્યારે તેને ખૂબ જ વિચિત્ર ગંધ આવા લાગી હતી..

તેણે આસપાસ નજર ફેરવીને જોયું કે, આ વિચિત્ર ગંધ ક્યાંથી આવી રહી છે. તપાસ કરતો કરતો તે બંધ પડેલી બસની બાજુમાં આવી પહોંચ્યો હતો. આ બસ છેલ્લા ચાર દિવસથી એકની એક જગ્યા પર જ પાર્કિંગ કરેલી હતી અને હવે તે માત્ર બે કલાકની અંદર જ આ બસ સ્ટેશનમાંથી રવાના થવાની હતી..

આ બસમાં મુસાફરી કરનાર મુસાફરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ આ બસમાંથી અતિશય દુર્ગંધ આવતા બસના કંડકટર અને ડ્રાઇવર બંનેને જગાડયા બાદ તેઓને બસ ખોલાવી અંદર ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસના સોફાની બારી ખોલવામાં આવી અને અંદરનું દ્રશ્ય જોતા જ બસના કંડકટરની સાથે સાથે ડ્રાઇવરના પણ હોશ છૂટી ગયા હતા..

તો આ બનાવ સામે આવ્યા બાદ મુસાફરો પણ માથું પકડી ગયા હતા. કારણ કે બસના સોફા ની અંદરથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ મામલો સામે આવતા જ સમગ્ર બસ સ્ટેશનમાં હંગામો મચી ગયો હતો. તાત્કાલિક જ ત્યાંના લોકોએ આ બનાવવાની જાણ પોલીસને કરી હતી..

પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી દીધી હતી. આ જાણીએ વ્યક્તિનું મૃતદેહ ખૂબ જ ફૂલી ગયો હતો અને જોવામાં પણ ખૂબ જ ભયંકર લાગી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પૂછપરછ કરતા ડ્રાઇવરે તેમજ કંડક્ટરે જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી આ બસ અહીંયા જ પડી હતી. અને હવે આ બસ જબલપુરના દિનદયાળ બસ સ્ટેશનથી અન્ય કોઈ જગ્યાએ રવાના થવાની હતી. પરંતુ બસ રવાના થાય એ પહેલા જ અંદરથી મૃતદેહ મળી આવતા તમામ મુસાફરોને અન્ય બસની ગોઠવણી કરીને પોતાની મુસાફરી કરવા પર મજબૂર બનાવ્યા હતા.

આ મૃતક વ્યક્તિ કોણ છે તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. પરંતુ પોલીસ હાલ આ મામલે તપાસ ચલાવી રહી છે. હકીકતમાં આ બનાવને લઈને સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે બસના સોફામાં આપવામાં આવતી બારી ખુબ જ ખોટી છે. બારીની આડશ લઈને ખરાબ મનસુબા ધરાવતા લોકો ખરાબ પ્રવુતિઓ આચરે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *