Breaking News

ચાલુ શાળાએ જ અચાનક ટીચર ધુણવા લાગતા વિદ્યાર્થીઓ ભાગવા લાગ્યા, ખુબ જ ચોંકાવનારો બનાવ આવ્યો સામે..!

સમાજમાં હજુ પણ ઘણા બધા લોકો અં.ધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. અં.ધશ્રદ્ધામાં લોકો અવનવી પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે. જેને કારણે બીજા લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે. હાલમાં અશિક્ષિત લોકો આવી અં.ધશ્રદ્ધાની વાતોમાં આવીને તેઓ બીજા લોકોને હેરાન કરી રહ્યા હોય છે પરંતુ હાલમાં એવી એક ઘટના આવી હતી.

કેટલીક વસ્તુઓ ધર્મ અને આસ્થા સાથે પણ જોડાયેલી છે ખુબ જ સાચી છે. કારણ કે વર્ષો જુના ઇતિહાસો હજી પણ જે તે બાબતોના પુરાવા પૂરે છે. પરતું હાલ એક શાળાની ટીચર જ અં.ધશ્રદ્ધાને કારણે બાળકોને ડરાવી રહી હતી. આ ઘટના બારડોલી જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામમાં બની હતી.

પાનસરા ગામમાં એક શાળામાં આ ઘટના બની હતી. જેને કારણે શાળાને બંધ કરી દેવામાં આવી હતી. શાળાને ગામના લોકોએ તાળું મારી દીધું હતું. જેને કારણે બાળકો એ પોતાનું શિક્ષણ અધૂરું મૂકવું પડ્યું હતું. આ શાળામાં એક શિક્ષિકા અવારનવાર અં.ધશ્રદ્ધાને કારણે ભયાનક પ્રવૃત્તિઓ કરી રહી હતી.

ગામમાં ઘણા સમયથી પ્રાથમિક શાળા ચાલી રહી હતી. ગામના તમામ બાળકો આ શાળામાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકા ચાલુ શાળાએ ભણાવતા સમયે અચાનક ધુણવા લાગતી હતી. જેને કારણે બાળકો ખૂબ જ ડરી જતા હતા. શિક્ષિકા આખા ક્લાસમાં ધૂણીને ચાલતી હતી.

જેને કારણે બાળકો ખૂબ જ ડરી રહ્યા હતા. આવું ઘણા સમયથી ચાલી રહ્યું હતું. અમુક બાળકોએ આ ભયને કારણે નિશાળે જવાનું પણ બંધ કરી દીધું હતું. દરેક બાળકોએ પોતાના ઘરે આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે વાલીઓ શાળામાં આવીને આચાર્યને આ ઘટના વિશે જણાવતા હતા.

વાલીઓનું કહેવું હતું કે શિક્ષિકા અવારનવાર અંધશ્રદ્ધાને લઈને વારંવાર શાળામાં આવી હરકતો કરતી હતી. તેને કારણે બાળકો ખૂબ જ ડરી રહ્યા છે. શાળાના આચાર્ય પણ શિક્ષિકાની આવી હરકતોથી હેરાન હતા. શિક્ષિકા ભણાવતી ભણાવતી અચાનક ધુણવા લાગતી હતી. ક્યારેક આખા ક્લાસમાં કંકુ વેરતી હતી.

કંકુ વેરીને આખા ક્લાસમાં નાચતી હતી. ગામના ઘરોમાં પણ કંકુ છાંટી આવતી હતી. જેને કારણે ગામના લોકો પણ ખૂબ જ હેરાન હતા. આ શિક્ષિકાએ એક વખત તો અંધશ્રદ્ધામાં એવું કરી નાખ્યું કે આખા ગામનો કચરો તેણે સાફ કર્યો હતો અને કચરો સાફ કરીને ઘણા બધા લોકોને કચરો સાફ કરવાનું કહ્યું હતું.

શિક્ષિકા ભણાવવાની બદલે આવા કામો કરીને પોતાની અંધશ્રદ્ધા બતાવી રહી હતી. જેને કારણે બાળકો ખૂબ જ ડરી રહ્યા હતા. આચાર્યને વારંવાર ફરિયાદ મળતી હતી પરંતુ આચાર્ય પણ આ શિક્ષિકાથી ખૂબ જ હેરાન હતા. તેને કારણે ગામના વાલીઓએ મળીને પ્રાથમિક શાળાની તાળું મારી દીધું હતું. પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક શિક્ષણ અધિકારી ગામમાં આવીને શિક્ષિકા માનસિક અવ્યસ્ત છે. તે બાબતે જણાવ્યું હતું. શાળાને ફરી પાછી ચાલુ કરવાનું તેમણે જણાવ્યું હતું. આજકાલ આવી ઘટનાઓ બનતા બાળકોને નાની ઉંમરમાં જ આવી મુશ્કેલીઓ જોવા મળે છે જેને કારણે બાળકો પણ આવી ઘટનાઓ કરવા માટે પ્રેરાઇ રહ્યા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *