હાલમાં લોકો સાથે ઘણી બધી ઘટનાઓ બની રહી છે પરંતુ દેશના પોલીસ કર્મીઓ લોકોને ખૂબ જ રક્ષા કરી રહ્યા છે. તેઓ પોતાના જીવનને જોખમમાં મૂકીને નાગરિકોની સેવા ખૂબ જ કરી રહ્યા છે. પોલીસની બહાદુરી અને ઈમાનદારીની ઘટનાઓ સામે આવી રહી હોય છે. પોલીસ નાગરિકોની સેવા કરવામાં સખત એક પગે ઊભા રહીને લોકોનું રક્ષણ કરી રહ્યા હોય છે.
આવી જ એક ટ્રાફિક જવાનોની બહાદુરીની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં સીમાડા ચાર રસ્તા પર આ ઘટના બની હતી. સીમાડા ચાર રસ્તા પર ટ્રાફિક જવાનોએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. એક યુવક સીમાડા ચાર રસ્તા પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.
આ યુવકનું નામ રાકેશભાઈ ડાકલા હતું. તેઓ સીમાડા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમનું સુગર લો થઈ જવાને કારણે તેઓ બાઈક પરથી અચાનક નીચે પડ્યા હતા. સીમાડા ચાર રસ્તા પર ઉભેલા ટ્રાફિક જવાન રાકેશભાઈને જોઈ ગયા હતા. જેને કારણે તરત જ ટ્રાફિક કર્મી રાકેશભાઈ પાસે દોડી આવ્યા હતા.
આ ટ્રાફિક કર્મીનું નામ શક્તાભાઈ રબારી હતું. તેઓ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. તે સમયે રાકેશભાઈની તબિયત લથડતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. આ કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા. જેને કારણે આસપાસ રહેલા બધા જ ટ્રાફિક જવાનું રાકેશભાઈને બચાવવા માટે તેમના હાથ-પગ ઘસી રહ્યા હતા.
એક ટ્રાફિક જવાને એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. જેને કારણે એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોંચી હતી. રાકેશભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને તરત જ સારવાર મળી ગઈ હોવાને કારણે તેઓનો જીવ બચી ગયો હતો. રાકેશભાઈને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓનું કહેવું છે કે, ‘ટ્રાફિક જવાનોની ઉમદા કામગીરીને કારણે તેમનો જીવ બચ્યો છે, જો ટ્રાફીક જવાનો ના હોત તો હું કદાચ બચી શક્યો ના હોત’ એમ કહીને રાકેશભાઈ ભાવુક થઈ ગયા હતા. ટ્રાફિક જવાનોઓ એક વ્યક્તિને ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. તેઓએ પોતાની ફરજ બજાવી હતી.
રસ્તા પર અચાનક આવી ઘટનાઓ બની જતા ટ્રાફિક જવાનો પોતાના જીવને જોખમમાં નાખીને લોકોની સેવાઓ કરી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ લોકો સાથે ખૂબ જ બની રહી છે. દેશમાં સતત કામ અને પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને ટ્રાફિક કર્મચારીઓની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]