દિવસેને દિવસે લોકો સાથે બનતા ગંભીર કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, લોકો પોતાની નાની નાની વાતમાં કંટાળીને આવા પગલાઓ ભરી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર રહીને રોજીરોટી મેળવવા માટે નોકરી કરી રહ્યા હોય છે અને તેઓ પર કોઈ મુશ્કેલી આવી પડતા માનસિક રીતે ત્રાસી જઈને તેઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે..
આવી જ એક ચોંકાવનારી ઘટના બની હતી. વારાણસીમાં એક યુવકે પોતાના જ ઘરે પોતાની સાથે ગંભીર ઘટના ઘડી નાખી હતી. યુવક પોતાના પરિવારથી દૂર રહેતો હતો. યુવકના પરિવારના લોકો લખનૌમાં રહેતા હતા. તેના પિતા આરોગ્ય વિભાગમાં કામ કરતા હતા. યુવકની ઉંમર 33 વર્ષની હતી.
વારાણસીમાં વિશ્વકર્મા નગરની કોલોનીમાં મકાન નંબર બી/16 ના આ યુવક રહેતા હતા. યુવકનું નામ વિવેક કુમાર સિંહ હતું અને તેમના પિતાનું નામ વિદ્યુત પ્રકાશ સિંહ હતું. તેઓ ઘણા સમયથી વારાણસીમાં રહેતા હતા. તેમના કોઈ માનસિક ત્રાસ કારણે એક દિવસ વિવેક કુમાર તેમના પિતાનો ફોન પર વાત કરતા સમયે રડી પડ્યા હતા.
જેને કારણે પિતાએ બધું જ બરાબર થઈ જશેની ખાતરી આપી હતી પરંતુ તેઓ તણાવમાં રહેતા હોવાને કારણે એક દિવસ પોતાના જ ઘરે રૂમમાં તેમણે લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેના જ મકાનમાં રહેતા સભ્યોને આ ઘટનાની જાણ થતા તેઓ વિવેક કુમારના રૂમ પાસે પહોંચ્યા હતા અને તેમને બારીમાંથી જોયું તો વિવેક કુમાર લટકી રહ્યા હતા.
જેના કારણે ચિતાઈપુર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિવેક કુમારના પિતા વિદ્યુત પ્રકાશ સિંહને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તે સમયે પિતાએ પોલીસને પોતાના દીકરાના મૃતદેહને જ્યાં સુધી તે ન પહોંચે ત્યાં સુધી નીચે ઉતારવાની ના કહી હતી.
જેના કારણે પોલીસે દરવાજો પણ તોડ્યો ન હતો અને વિવેકજીના મૃતદેહને પણ ઉતાર્યો ન હતો. પોલીસ વિવેકકુમારના પિતા વિદ્યુત પ્રકાશની રાહ જોઈ રહ્યા હતા. વિદ્યુત પ્રકાશ તેમના દીકરા પાસે આવી રહ્યા હતા. જેના કારણે પોલીસ પિતાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અને પરિવારના લોકોને વિવેકના મૃત્યુની જાણ થતા પરિવાર આઘાતમાં આવી ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]