તમે આજ સુધી સાંભળ્યું હશે કે, હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી આપી હોય, તેમજ રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ વરસાદ અંગે કોઈ મોટી આગાહી કરી હોઈ પરંતુ હવે ભાવનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયરએ ભૂકંપની આગાહી આપી દીધી છે. તમે વિચારમાં મુકાઈ જશો કે વળી કોઈ માણસ ભૂકંપની આગાહી કેવી રીતે આપી શકે..?
પરંતુ આ એન્જિનિયર ડી.આર.પટેલે જણાવ્યું છે કે, તેઓ 18 વર્ષથી સરકારી નોકરીમાં એન્જિનિયરિંગ તરીકેની ફરજ બજાવે છે. આ ઉપરાંત જ્યારે ગુજરાતમાં કચ્છના ભૂકંપ આવ્યો હતો. ત્યારે પશુ પક્ષી અને આજુબાજુના વાતાવરણમાંથી તેઓએ ખૂબ જ સચોટ અભ્યાસ કર્યો હતો. જેના કારણે તેઓ કહી શકે છે કે, ભૂકંપ ક્યારે આવશે અને ક્યારે નહીં આવે..?
તેવો ખૂબ સારો અનુભવ ધરાવે છે. જેના કારણે તેઓએ હાલ ભૂકંપની આગાહી આપી છે. અને તેઓએ જણાવ્યું છે કે, ભાવનગર જીલ્લો અને તેની આજુબાજુના 500 કિલોમીટરના વિસ્તારમાં બે દિવસની અંદર અંદર પાંચ રેક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવવા જઈ રહ્યો છે. આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે, ભૂકંપની આગાહી કરવી શક્ય નથી..
પરંતુ તેઓ વિનાશક ભૂકંપના આધારે જે વાતાવરણની અંદર ફેરફાર થતા હોય છે. તેના આધારે આગાહી આપે છે. તેમજ તેઓએ આજ સુધી ઘણી ભૂકંપની આગાહી આપી છે. તેમાંથી ૯૦ ટકા આગાહી સાચી પડી છે. કચ્છના ભૂકંપ વખતે પણ તેઓએ આગાહી આપી હતી. તેવો ભૂસ્તર વિભાગમાં ખૂબ જ અનુભવ ધરાવે છે..
આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં બે દિવસની અંદર ભૂકંપ આવવા જઈ રહ્યો છે. જેના કારણે અમરેલી, દ્વારકા, મહેસાણા, ગારીયાધાર આ તમામ તાલુકાઓમાં ભૂકંપની અસર દેખાશે. ભૂકંપની અંદર ટેક્નોની પ્લેટ ખસી જાય છે. અને જેના કારણે ગેસ નીકળવા લાગે છે. અને તેની અંદરથી વાદળ પણ બને છે. આ તમામ બાબતોનો તેઓ અભ્યાસ કરી રહ્યા છે.
ભાવનગરના સિંચાઈ વિભાગમાં કાર્યપાલક એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલે આગાહી આપવાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમજ કેટલાક લોકોને વિશ્વાસ આવી રહ્યો છે. તો કેટલાક લોકો આ તમામ ચીજ વસ્તુઓ ફાલતુ ગણાવી રહ્યા છે.
પરંતુ અમે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ પણ આગાહી આપવામાં આવે છે. ત્યારે 100 એ 100% એ આગાહી સત્ય બને એવું શક્ય નથી. ઘણી બધી વાર આગાહીઓ નિષ્ફળ પણ જતી હોય છે. એટલા માટે કોઈ ચોક્કસ નિર્ણય સુધી પહોંચી શકાતું નથી. પરંતુ હાલ આ એન્જિનિયર એ ભૂકંપની આગાહી આપી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]