અમુક વ્યક્તિના બોલેલા શબ્દો ક્યારે ફળી જાય તેનું નક્કી હોતું નથી, અમુક વ્યક્તિ પોતાના મોઢામાંથી જે શબ્દો કહે છે. તે શબ્દો સાચા જ પડતા હોય છે, જ્યારે અમુક વ્યક્તિના શબ્દો આપણા માટે અભિશાપ રૂપ પણ બની જતા હોય છે. અત્યારે એક કરોડપતિ શેઠને ભિખારીએ કહેલા શબ્દો સાચા પડી ગયા હતા..
આ ઘટના રાજવીર નગરની છે, ત્યાં આ વર્ધમાન કોલોની પાસે ઘણા બધા ભિખારી સવારના સમયે આવી પહોંચે છે. અને ત્યાં રોડ કાંઠે બેસીને ભીખ માંગવા લાગે છે. રાજવીર નગર પાસે ઈશ્વર શેઠ નામના એક કરોડપતિ વ્યક્તિ નો બંગલો આવેલો છે. તેઓ રોજ સવારના સમયે ત્યાંથી નીકળતા હતા અને ત્યાં બેઠેલા એક ભિખારી રોજ તેની પાસે ભીખ માંગતો હતો..
પરંતુ ઈશ્વર શેઠ ક્યારે પણ આ ભિખારીને એક પણ રૂપિયો આપ્યો નહીં અને એક દિવસ સવારના સમયે ભિખારી ફરી પાછો રોજની જેમ આ કરોડપતિ શેઠ પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું હતું, ત્યારે ઈશ્વર શેઠે કહી દીધું કે, હું તને ક્યારેય પણ એક રૂપિયો આપવાનો નથી. મહેરબાની કરીને તું મારી પાસે પૈસા માંગવા માટે આવતું નહીં..
બસ આ શબ્દો સાંભળતા જ ભિખારીએ કરોડપતિ શેઠને કહી દીધું હતું કે, તારા દીકરાની વહુ આવતીકાલે સવારે તારું ઘર ભાંગી નાખશે. અને તારે રડતા રડતા મારી પાસે આવવું પડશે, આ શબ્દો સાંભળતા જ ઈશ્વર શેઠ ગુસ્સે ભરાયા હતા. પરંતુ તે ભિખારીની વાતોને મનમાં લીધા વગર આ વાતને આગળ વધારવી નથી..
તેમ વિચારીને ત્યાંથી નીકળી ગયા હતા, હકીકતમાં તેમના ઘરે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મોટો લડાઈ ઝઘડો ચાલતો હતો. તેમનો એકનો એક દીકરો વિમલ પ્રેમ લગ્ન કરીને રિયા નામની યુવતીને ઘરે લાવ્યો હતો, રિયા ઘરે આવતાની સાથે જ જુદી-જુદી માંગણીઓ કરવા લાગતી અને ઈશ્વર શેઠ તેમજ ઈશ્વર શેઠની પત્ની હેમાલીબેન સાથે તેને સારું વર્તન કરવા આવડ્યું નહીં..
રીયા વારંવાર તેની સાથે લડાઈ ઝઘડો કરતી અને ઈશ્વર શેઠને પણ હુકારે તુકારે બોલાવવા લાગી હતી. આ બધી બાબતો ઈશ્વર શેઠ સહન કરતા હતા, તેઓ વિચારતા કે તેમના દીકરાનું લગ્નજીવન ભાંગે નહીં એટલા માટે આ બધી હેરાન કરતી તેઓ સહન કરતા રહ્યા. તેમને ભિખારીએ કહ્યું કે, બીજા દિવસે સવારે તમારા દીકરાની વહુ તમારું ઘર ભાંગી નાખશે અને બીજા દિવસે સવારે હકીકતમાં એવું થયું હતું કે..
રિયાએ શોપિંગ કરવા માટે જવાના પૈસા લેવા માટે વિમલ સાથે લડાઈ ઝઘડો શરૂ કરી દીધો હતો અને એ વખતે હેમાલી બેને રિયા ને લડાઈ ઝઘડો ન કરવા માટે જણાવ્યું હતું અને આ બાબત ધીમે ધીમે એટલી બધી આગળ વધી ગઈ કે રિયા આ ઘર મૂકીને જતી રહેવા માંગતી હતી..
રીયા તરત જ તેનો સામાન બાંધવા લાગી અને બોલતી હતી કે, તે આ ઘર મૂકીને તો જાય છે, પરંતુ છૂટાછેડા માટે તે કરોડો રૂપિયા માંગશે અને જો આ રૂપિયા તેને આપવામાં નહીં આવે તો તે ક્યારેય પણ છૂટાછેડા આપશે નહીં અને આ ઘરની અંદર પણ રહેશે નહીં. ઈશ્વર સેઠ વિચારવા લાગ્યા કે તેમના દીકરાની વહુ તેમના ઘરને બરબાદ કરવા જઈ રહી છે..
પરંતુ તેઓ મજબૂરીને વશ બનીને કશું કરી શકે તેમ નથી, તેઓ આ ઘટનાની અંદર પડવા માંગતા હતા નહીં અને હકીકતમાં રિયા ઘર મૂકીને ચાલી ગઈ હતી અને તેને ફોન કરીને જણાવ્યું કે, જો છૂટાછેડા જોતા હોય તો તમારે બે કરોડ રૂપિયા મને આપવા પડશે અને ઘણી બધી જમીનો પણ મારા નામે કરવી પડશે તો જ હું છુટાછેડા આપીશ. નહીં તો તમારા દીકરાની જિંદગીની હું પથારી ફેરવી નાખીશ..
પ્રેમ લગ્ન કરીને તેમનો દીકરો ઘરે વહુને તો લાવી બેઠો હતો, પરંતુ આ દીકરાની વહુએ ઈશ્વર શેઠના ઘરને બરબાદ કરી નાખ્યું હતું. આ ઘટના બની ત્યારે ઈશ્વર શેઠને પેલા ભિખારીએ કહેલા શબ્દો કાનમાં સંભળાવવા લાગ્યા હતા કે, તારા દીકરાની વહુ આવતીકાલે સવારમાં તારું ઘર ભાંગી નાખશે..
આ શબ્દો સાંભળતાની સાથે જ ઈશ્વર શેઠે ભિખારી પાસે પહોંચ્યા એને કહેવા લાગ્યા કે, તને શા માટે ખબર પડી ગઈ કે અમારા ઘરની અંદર આવો લડાઈ ઝઘડો ચાલી રહ્યો છે. અને તે શા માટે આવો અભિશાપ અમને આપ્યો હતો, ત્યારે ભિખારીએ કહ્યું કે, તમે રોજબરોજ મને નારાજ કરતા હતા, હું રોજ તમારી પાસે રૂપિયા માંગતો પરતું તમે એક પણ વાર મને રૂપિયા આપ્યા નથી..
એટલા માટે મેં મજાક મસ્તીની અંદર જ તમને કહી દીધું હતું કે, તમારું ખોટું થવા જઈ રહ્યું છે. મેં વિચાર્યું હતું કે, હું કદાચ તમને આવું કહીશ તો તમે મને રૂપિયા આપી દેશો, પરંતુ તમે છતાં પણ મને રૂપિયા આપ્યા નહીં એટલા માટે હવે મેં આ વાતને મારા મનમાંથી કાઢી નાખ્યું છે. ઈશ્વર શેઠે રડતા રડતા કહ્યું કે, તારી આ વાત મારા ઘરની અંદર સાચી પડી ગઈ છે..
નક્કી તે જ મારા ઘરના સભ્યો ઉપર કંઈક કરાવી નાખ્યું છે, ભિખારીએ કહ્યું કે, હું આ બધી બાબતો જાણતો નથી મેં માત્ર ભીખ માંગવા માટે આ નુસખો અપનાવ્યો હતો. પરંતુ આ હકીકતમાં તમારા જીવનમાં સાચો પડ્યો છે, તો તેના પાછળ અન્ય કોઈ કારણો જોડાયેલા હશે આ ઘટના જ્યારે સામે આવી ત્યારે ઈશ્વર છે..
તેમની પત્ની હેમાલી બેન પણ ચોકી ઉઠ્યા હતા, તેઓને હજુ પણ આ ભિખારી ઉપર શંકા જાય છે. પરંતુ ભિખારીએ કહ્યું કે તે આ બાબત વિશે કશું અન્ય વાત વિવાદ માંગતો નથી, તેણે માત્ર ભીખાવા માટે આ નુસખો અપનાવ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]