આજકાલ લોકોના મૃત્યુના અને એકબીજાની હ.ત્યા કરી દેવાના બનાવો ખૂબ જ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ખરેખર આ મૃત્યુના તો અનેક કારણો હોય છે. પરંતુ માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ. પરંતુ લોકો આ કોઈને મદદ કરવાને બદલે વાતે વાતે ગુસ્સે ભરાઈ જાય છે.
અને નાના-મોટા ઝઘડા માંથી એકબીજાના મૃત્યુ કરી દેવાના બનાવો ખૂબ જ બન્યા છે. જ્યારે ગત દિવસમાં આવો જ એક બનાવો સુરેન્દ્રનગરમાં બન્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જિલ્લામાં ગુનાખોરીઓના બનાવો ખૂબ જ વધી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગરના જ જોરાવર નગરમાં એક પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે. અને તેમાં મૃત્યુ પણ થયું છે. જ્યારે આ દંપતિ પર હુમલો થયો ત્યારે આજુબાજુમાં રહેતા લોકોમાંથી કોઈપણ મદદે આવ્યું ન હતું. પત્નીનું જ્યારે ઘટના સ્થળે જ મોત નીપજ વધારે પતિને ખૂબ જ આઘાત લાગ્યો હતો,અને તે પણ ખૂબ જ ગંભીર બીજા પહોંચી હતી..
જ્યારે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓની પત્નીનું મોત થઈ ગયું છે. જોરાવર નગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ઘરે ઈસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હર્ષિલભાઈ પરમાર અને જ્યોતિબેન પરમાર રાબેતા મુજબ બપોરના સમયે ઈસ્ત્રી કરી રહ્યા હતા.
ત્યારે ઘરમાં ભાડુઆત તરીકે રહેતા અનિલ વાળંદ નામનો યુવક હાથમાં ખુબ જ ધારદાર સાધન લઇને આવી પહોંચ્યો હતો અને મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. અને તેમાંથી હાથાપાઈ પણ થઈ પરંતુ આ ઝઘડો ખૂબ જ રોષે ભરાયો જેમાં અનિલે પોતાની પાસે રહેલી છરી વડે દંપતિ પર હુમલા કર્યા..
તેમાં પતિ અને પત્નીની ખૂબ જ ઇજા પહોંચી છે. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની જ્યોતિબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ખૂબ જ પહોંચી છે.અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવવાની જાણ થતા તેના પોલીસ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રહ્યો છે.
લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે તહેવાર પર હત્યાના બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. હાલમાં પોલીસે ફરિયાદીની તજવીજ હાથ પર કરી છે, અને આરોપીને ઝડપીને તેના પર યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]