આજકાલ અકસ્માતના બનાવવોમા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત દિવાળી જેવા તહેવારના સમયમાં અકસ્માત થવાથી તેમના પરિવારજનો શોકનું માતમ છવાઈ જતું હોય છે. દિવાળીના તહેવાર પર રાજસ્થાનના અલવર જિલ્લામાં એક રોડ અકસ્માતને કારણે કાકા-ભત્રીજો મોતને ઘાટ ઉતરી ગયા છે.
રાજસ્થાન રાજ્યમાં અલવર જિલ્લા ના જોગીયા વિસ્તારમાં શ્રીલાલ યોગીનો પરિવાર રહે છે. શ્રીલાલયોગી સાથે તેમના 2 પુત્ર ગેંદાલાલ યોગી અને અશોક યોગી રહેતા હતા. ગેંદાલાલ યોગીનો પુત્ર રામકિશોર દિલ્હીમાં રહેતો હતો. તેમજ ત્યાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો.
આ ઉપરાંત અશોક યોગી પોતાના જ ગામથી ૧ કિલોમીટર દૂર મૂર્તિકામ કરતો હતો. દિવાળીના તહેવાર પર રજાઓ પડવાને કારણે રામકિશોર યોગી દિલ્હીથી પોતાના વતન અલવર પાછો ફર્યો હતો. દિવાળીની સાંજે ઘરે પૂજા હોવાને કારણે રામકિશોર યોગી પોતાના કાકા અશોક યોગી સાથે પૂજાનો સામાન લેવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓએ પોતાના ગામથી થોડે દૂર આવેલી બજારમાં જઈને મીઠાઈ લેવાનું તેમજ અન્ય શોપિંગ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે તેઓ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી અચાનક જ પીકઅપ વાહન દ્વારા ટક્કર લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ દરમિયાન પિકઅપ વાહન સાથે અથડાતા તેઓ 60 ફૂટ જેટલા રોડ પર ઘસડાયા હતા.
જેના કારણે રસ્તા ઉપર લોહીના લિસોટા પડી ગયા હતા. આસપાસના લોકો ને આ બાબતની જાણ થતા તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા હતા. તેમજ એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ રામકિશોર યોગી નું લોહી વધુ પ્રમાણમાં વહી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
જ્યારે અશોક યોગીને નજીકની થાનાગાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને જયપુર હોસ્પિટલમાં જવાનું સૂચવવામાં આવ્યું હતું. જયપુર પહોંચે તે પહેલા જ અશોક યોગી એ પોતાનું દમ તોડી દીધું હતું. ત્યાંના લોકો દ્વારા જયપુર પોલીસમાં આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ તેમના પરિવારજનોને આ અકસ્માત વિશે જાણ કરવામાં આવી છે. દિવાળી જેવા શુભ અવસર પર પરિવારમાંથી બે વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]