રોજબરોજ સમાજમાં બનતી જીવલેણ ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. લોકો માનસિક રીતે ત્રાસીને પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે જેને કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઉન્નાવના બાંગરમાળમાં રહેતી મહિલા સાથે બની હતી.
મહિલા પોતાના પરિવાર સાથે બાંગરમાળમાં રહી તે એક બેંકમાં કેશિયર તરીકે પોતાની ફરજ બજાવતી હતી અને તેમના પરિવારને આર્થિક મદદ કરતી હતી. મહિલાનું નામ આરતી દેવી હતું. આરતી દેવી બારાબંકીના કારખા ગામની રહેવાસી હતી. તે પોતાના માતા પિતા સાથે રહેતી હતી. તેમની માતાનું નામ મીનાકુમારી હતું.
પરિવારના લોકોએ આરતી દેવીના લગ્ન બારાબંકીના થાના રામનગરના તારાપુર ગુમાન ગામના રહેવાસી યુવક સાથે કરાવ્યા હતા. આ યુવકનું નામ અરુણકુમાર હતું. આરતી દેવીની ઉંમર 28 વર્ષની હતી. અરુણકુમાર સાથે લગ્ન બાદ તે બાંગરમાળમાં રહેતી હતી અને બેંકમાં કેશિયરની પોસ્ટ પર તે નોકરી કરતી હતી.
પોતાની ફરજ બજાવતી હતી. આરતી દેવીને અરુણકુમાર સાથે લગ્ન જીવન દરમિયાન 2 સંતાનો હતાં. તેને બે દીકરીઓ હતી. તેમના નામ કશિશ અને માહી હતું. અરુણકુમાર ઘણા સમયથી આરતી દેવી પાસે તેમની નોકરીના પૈસા માંગતા હતા અને તે ઘરે પણ આરતી દેવીને ઘણો ત્રાસ આપતા હતા પરંતુ આરતી દેવી તેમને પૈસા આપતી ન હતી.
અને પોતાની દીકરીઓને તે ભણાવવા માગતી હતી. જેના કારણે આરતી દેવી નોકરી કરીને તેમની દીકરીઓની દરેક જરૂરિયાત પૂરી કરતી હતી. તે કેશિયર તરીકે બેંકમાં નોકરી કરતી હતી. એક દિવસ કંટાળેલી આરતી દેવીએ પોતાના જ ઘરમાં એક અંતિમ નોટ લખીને કર્યું એવું કે, તેમના પરિવારના લોકો પોલીસ સ્ટેશન દોડતા થઈ ગયા હતા.
એક દિવસ કંટાળેલી આરતી દેવીએ પોતાના જ ઘરમાં રૂમમાં એક કાગળમાં અંતિમ ચિઠ્ઠી લખી હતી. અંતિમ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે, “હું આરતી દેવી છું અને બેંકમાં OE ની પોસ્ટ ઉપર નોકરી કરી રહી હતી પરંતુ મેનેજરએ બેંકમાં ખોટું બોલ્યું હતું, OD,NPAને પૂરા કરવા માટે મને બોલાવવામાં આવી હતી પરંતુ અમને કહેવામાં આવ્યું હતું કે,
અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે, અમે ત્યાં બેઠા હતા અને સીધા પ્રશ્નો પૂછ્યા હતા. તેથી હું ખૂબ શરમ અનુભવ છું, આમાં મારો કોઈ હાથ નથી, મને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો છે. જેના કારણે હું માનસિક રીતે થાકી ગઈ છું, તેમણે પોતાના પરિવારને પોતાની બંને દીકરીઓ અને તેમના માતા પિતાની સંભાળ રાખવા વિનંતી કરી હતી.
અને તેણે કહ્યું હતું કે, મને માફ કરી દેજો. હું આ દુનિયા છોડીને જવા માંગુ છું તેમ કહીને તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારના લોકો તરત જ આ અંતિમ નોટ વાંચીને ખૂબ જ નિરાશ થઈ ગયા હતા અને તેઓ તરત જ પોલીસ સ્ટેશન ગયા હતા અને તમામ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તેના પિયરના લોકોને પણ જાણ થતા આરતીદેવીની માતા મીનાદેવીએ આરતી દેવીના પતિ અરુણકુમાર સામે ફરિયાદ નોંધાવી હતી. અરુણકુમાર પણ આરતી દેવીને ખૂબ જ ત્રાસ આપતા હતા અને ઘણીવાર તેની સાથે મારપીટ પણ કરતા હતા. જેના કારણે આરતીદેવીએ આ પગલું ભર્યું હતું. પરિવાર સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને બેંકના મેનેજર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]