રોજબરોજ અકસ્માત તો ઘણા બધા બને છે. પરંતુ તેમાંથી કેટલા અકસ્માતો વાહન ચલાવનાર બંને લોકોની ભૂલના કારણે બનતા હોય છે. તો કેટલાક અકસ્માતોમાં માત્ર એક જ વાહનચાલકની ભૂલને કારણે થતા હોઈ છે અને તેઓ રસ્તે જતા માસુમ લોકોને અડફેટે લઈ મોતને ઘાટ ધકેલી દેતા હોય છે..
આ પ્રકારનો વધુ એક બનાવો રાજસ્થાન રાજ્યના પરતપુર જિલ્લાના ઢોલ બંધ વિસ્તારમાંથી સામે આવી ગયો છે. હોટલ વિસ્તારની અંદર એક ટ્રક ચાલાકી ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જી નાખ્યો છે. જેમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બે બહેનો પોતાના બાળકોની સાથે લઘુ ઉદ્યોગની ટ્રેનિંગ મેળવવા માટે એક હોટલમાં ગયા હતા..
તેઓની સાથે અન્ય 15 મહિલાઓ પણ ચાર દિવસ માટે આ હોટલમાં રોકાઈને લઘુ ઉદ્યોગના વર્કશોપ હાજરી આપી રહી હતી. સુલતાનાને પાંચ વર્ષનો દીકરો છે. જ્યારે કરીશમાંને માત્ર છ મહિનાનું એક બાળક છે. વર્કશોપમાં હાજરી આપ્યા બાદ તેઓએ વિચાર્યું કે, થોડા સમય માટે રોડના કિનારે ચાલી આવે.. જેથી કરીને મગજ ફ્રેશ થઈ જાય..
તેવો પોતાના બાળકો લઈને વાતચીત કરતા કરતા રોડના કિનારે ચાલવા લાગ્યા હતા. પરંતુ તેઓને શું ખબર કે, પાછળથી તેમનું મોત આંબી જશે, તેવો ચાલી રહ્યા હતા. એવામાં એક ટ્રક ચાલક બેકાબૂ ગતીએ જયપુર રોડ તરફથી આવી ગયો અને ટોલનાકાનું એક્સેલ પણ તોડીને પુર ઝડપે રોડ પર ચાલતા વ્યક્તિઓને અડફેટા લઈને આવવામાં નાખ્યા હતા..
આ અકસ્માતને લઈને ચારેકોર ચીખો સંભળાવવા લાગી હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે જોનાર વ્યક્તિનું કેવું છે કે, સામાન્ય વ્યક્તિ માટે આ અકસ્માતને પોતાની આંખે નિહાળવો મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન છે. આ અકસ્માત વિશે વિચારતા પણ આંખો મીંચાઈ જાય છે..
આ અકસ્માતની અંદર 25 વર્ષની કરિશ્મા તેમજ 29 વર્ષની સુલતાનાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કરિશ્માના છ મહિના બાળકને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મૃત્યુ થઈ ગયું છે. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર પોતાનો ટ્રક ઘટના સ્થળે જ મૂકીને ભાગવા લાગ્યો હતો..
આસપાસના તમામ લોકોએ પોતાના વાહનો થોભાવી આ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓને દવાખાને પહોંચાડ્યા હતા. તેમજ પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ ડોક્ટરે તપાસ બધા તમામ લોકોને મૃત જાહેર કરી દીધા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા તમામ લાશોને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપોની કામગીરી શરૂ કરી છે.
પરંતુ ડ્રાઇવર હજુ પણ પોલીસની પકડથી દૂર છે. સુલતાનાને ત્રણ બાળકો છે. માતાના મૃત્યુ બાદ અન્ય બે બાળકો નિરાધાર બન્યા છે. જ્યારે માત્ર છ મહિનાના એક બાળકનું પણ મૃત્યુ થઈ ગયું છે. જાણવા મળ્યું છે કે, તેમના પરિવારજનોની હાલત ખૂબ જ ખરાબ છે. જેને લઈને લઘુ ઉદ્યોગમાં સામેલ થવા માંગતી હતી..
જેની ટ્રેનિંગ લેવા માટે તે આવી હતી. પરંતુ ત્યાં જ તેનું મૃત્યુ થઈ જતા પરિવારજનો ખૂબ જ દુઃખી થયા છે. જ્યારે આ બંને બહેનોના મૃત્યુ અંગે તેમના પરિવારજનોને જાણ થઈ ત્યારે એક શોકનો માહોલ ફરી વળ્યો હતો. તો તેમના માતા-પિતાને તો દુઃખનો કોઈ પાર રહ્યો નથી. ચારેકોર ગમગીની છવાઈ ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]