આપઘાતના બનાવો દિન પ્રતિ દિન સરકારી ચોપડે ખૂબ જ વધી ગયા છે. રોજરોજ કોઈને કોઈ પરિવારનો સભ્ય આપઘાત કરી રહ્યો છે. જેની પાછળ ક્યાંક ને ક્યાંક ઘરેલુ મામલા ઝઘડાઓ સાસરિયાના ત્રાસ તેમજ પતિ કે દિયરની સતામણી આર્થિક સંકડામણ કે પ્રેમ પ્રકરણ નો કિસ્સો જોડાયેલો હોય છે. હકીકતમાં નાની નાની બાબતોમાં કોઈપણ માણસને હતાશ થવું ન જોઈએ..
અને આપઘાત તરફનો પ્રેરાવું ન જોઈએ. આ બાબત સમાજના દરેક વ્યક્તિઓને સમજાવવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ હવે લોકોને સમજાવવાનો વારો આવી ગયો છે. કારણ કે દિન પ્રતિદિન ખૂબ જ વધારે આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામમાંથી વધુ એક આપઘાતનો મામલો સામે આવતા સૌ કોઈ લોકોનું હૈયુ ધમધમી ગયું હતું…
ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં રહેતા એક વ્યક્તિની દીકરી જબલપુર ગામમાં રહેતા એક પરિવારને ત્યાં સાસરે હતી. લગ્ન થયા બાદ થોડા દિવસ લગ્નજીવન સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે સાસુ સસરા અને પતિ ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. સાસુ ઘરકામની નાની નાની બાબતોથી લઈ અન્ય બધી બાબતોમાં અડચણરૂપ બનતી હતી..
પાણીની મોટરથી પાણી ચઢાવવા બાબતે લાઈટ બિલ વધારે આવે છે. એમ કહીને વહુ સાથે ઝઘડો કરવા બેસી જતી હતી. આ ઉપરાંત ઘરકામના દરેક બાબતોમાં મહેનતાણા મારીને ત્રાસ પહોંચાડતી હતી. આ ઉપરાંત તેના સસરા પણ તેની પુત્ર વધુનું ધ્યાન રાખતા હતા નહીં. પુત્રવધુ ને માથાનો દુખાવો શરૂ થતા તેને દવાખાને લઈ જવાની ફરજ પડી હતી.
પરંતુ તેના સસરાએ દવાખાને જવાની ના પાડી હતી. આ ઉપરાંત પરણીતાએ વિચાર્યું કે, તે પોતે બ્યુટી પાર્લરનું કામ કરીને પરિવારનું જીવન ચલવામાં મદદરૂપ બનશે. પરંતુ તેના સાસુ અને તેના પતિએ બ્યુટી પાર્લરનું કામકાજ પણ ન કરવા જણાવ્યું હતું. અને બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા…
પરણીતા અને સાસુ સસરા વચ્ચે થયેલા ઝઘડો આપઘાત સુધી પહોંચી જશે એવું તો કોઈએ વિચાર્યું હતું નહીં અને એક દિવસ પરણીતાએ સવારના સમયે રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા એક ચકચાર મચી ગયો હતો. હકીકતમાં મહિલા પોતાના પરિવારજનોને મદદરૂપ બનવા ઇચ્છતી હતી. પરંતુ તેના સાસુ સસરા અને તેનો પતિ અવારનવાર ત્રાસ પહોંચાડતા તે પોતાનું મન મનાવીને પરાણે પોતાના સાસરે રહેતી હતી..
લગ્નજીવન તેને કોઈ સંતાન ન હતું. પરિવારની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેને વિચાર્યું કે, તે પોતે બ્યુટી પાર્લર ખોલશે અને તેમાંથી જે પૈસા કમાશે તેનાથી પરિવારજનોના સપના પૂરા થશે. પરંતુ તેના સપનાને ચકચૂર કરવા માટે તેના સાસુ સસરા પહોંચી ગયા હતા. રોજ રોજની આ કંટાળાજનક સ્થિતિ અને લઈને પરણીતા હતાશ થઈ ગઈ હતી..
અને એક દિવસ તેને આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું હતું. તે પોતાની સાથે થયેલી તમામ બાબતો પોતાના પિયરમાં જણાવતી અને આપઘાત કર્યા બાદ પિયર જનોએ સાસરિયાના સાસુ સસરા તેમજ પતિ સામે ગુનો નોંધાવ્યો છે. અને જણાવ્યું છે કે તેમની દીકરી જીવ લેવામાં સાસરિયાઓ જ સામેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]