સમાજમાં પતિ-પત્ની વચ્ચે થતા પારિવારિક ઝઘડાઓ ખૂબ જ જોવા મળ્યા છે, જેમાં પતિ-પત્ની નાની નાની વાતમાં ઝઘડો કરીને તેમના બાળકો અને પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના કાનપુર રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં બની હતી.
મસ્વાનપુરના ધુબિયાનાની રહેવાસી પરિવારની મહિલા સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહેતા હતા. પત્નીનું નામ સીમા હતું. તેમની ઉંમર 25 વર્ષની હતી અને તેમના પતિનું નામ વિશાલ છે. પતિ પત્ની ના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા જેના કારણે તેમને સંતાનમાં એક દીકરો હતો દીકરાનું નામ મનન હતું.
મનની ઉંમર બે વર્ષની થઈ હતી. પતિ પત્ની વચ્ચે બે વર્ષનો દીકરો થઈ ગયા હોવા છતાં ઝઘડાઓ ચાલી રહ્યા હતા નાની-નાની વાતને લઈને બંને ઝઘડાઓ કરતા હતા એક દિવસ તેમના સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે બંને પતિ પત્ની અને તેમનો દીકરો લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા તે સમયે લગ્નમાં સંગીત સંધ્યા ચાલી રહી હતી.
તે સમયે ડાન્સ કરવા બાબતે પતિ પત્નીને ઝઘડો થયો હતો બંને ઘરે આવીને ખૂબ જ ઝઘડો કર્યો હતો અને ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે જેમાં વિશાલે ઉશ્કેરાઈ જઈને તેમની પત્નીમાં ને ખૂબ જ માર માર્યો હતો ગમે તેમ માર મારવાને કારણે સીમાને શરીરે ઇજા પણ થઈ હતી ત્યારબાદ બીજા દિવસે વિશાલ પોતાના કામે ગયો હતો.
ઘરે માતા દીકરો જ હતા. સીમાએ અવારનવાર આવા માર મળવાને કારણે ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેમણે પોતાના બે વર્ષના દીકરાને પાસે બોલાવીને તેનું ગળું દબાવીને મારી નાખ્યો હતો અને ત્યારબાદ એ લટકીને આપઘાત કરી લીધો સીમા પોતાના દીકરાને તેમના પતિ પાસે છોડવા માગતી નહોતી કારણ કે પતિના સ્વભાવથી તે પરિચિત હતી.
જેના કારણે તેમના દીકરા ની કોઈ રાખશે તેમ તેની વિશ્વાસ ન હતો જેના કારણે તેના દીકરાને મારી નાખીને પોતે આપઘાત કરી લીધો ત્યારબાદ વિશાલ કામ પરથી ઘરે આવતા તેમણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો કોઈ ખોલી રહ્યું નહોતો જેના કારણે પાડોશીના લોકોને બોલાવીને વિશાલે દરવાજો તોડી નાખ્યો હતો.
અને અંદર જતા જોયું તો તેમની પત્ની અને દીકરો હાલતમાં જોવા મળ્યા સીમા લટકતી હાલતમાં જોવા મળી હતી. જેના કારણે તે આઘાતમાં આવી ગયો હતો ત્યારબાદ તરત જ રાવતપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે પોલીસ ઘરે આવી હતી અને સમગ્ર તપાસ હાથ ધરી હતી.
પોલીસની સીમાના શરીર પર માર મારયાના નિશાન પણ મળ્યા અને સીમા ની બંગડીઓ તૂટેલી મળી જેના કારણે તે બંને વચ્ચે ઝઘડો થયા ત્યારે આ બંગડીઓ તૂટી હોવાની પોલીસને શંકા હતી. પતિની સાથે સાથે સાસુ સસરા પણ સીમા પર અત્યાચાર કરી રહ્યા હતા. જેના કારણે સીમાના પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓએ સીમાના પતિ સાસુ અને સસરા સામે એફઆઇઆર નોંધાવી હતી.
અને તે ત્રણેય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ પિયરના લોકોએ અપીલ કરી હતી. પોલીસે પતિ અને સાસુની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ કરી રહી હતી. આવા સ્વભાવને કારણે તેમની પત્ની અને દીકરાની જીવ ગુમાવ્યા હતા. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. પરિવારમાં લોકોને મળતા ત્રાસને કારણે તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]