ગોંડલમાં નરેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર નામના યુવકે આપઘાત કરી લીધો છે. તેમની ઉંમર ૩૬ વર્ષની છે. અને તેઓ કુક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં તેમને બે બાળકો છે. તેમજ એક પત્ની પરિવારના મોભીનું અવસાન થતાં બંને બાળકો સહિત પત્ની પણ મોભીની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે..
આપઘાતનો આ મામલો નોંધાયા બાદ તેમના પરિવારજનો ઉપર આફતોના વાદળો ફાટી નીકળ્યા છે. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે, નરેન્દ્ર ભાઈએ આપઘાત કરી લીધો છે, ત્યારે તેઓ તાત્કાલિક તેમને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કરી દેતા સૌ કોઈ લોકોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું..
તેમજ શહેર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેઓએ કયા કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. તેની તપાસ ચલાવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જાણ મળી છે કે, આ યુવકે આર્થિક સહઘડામણને કારણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. નરેન્દ્ર ભાઈએ આપઘાત કરતા પહેલા એક પણ વાર તેમની પત્ની કે તેમના બંને બાળકોનો વિચાર કર્યો નહીં હોય કે…
હવે તેમના બંને બાળકોને ઉછેર કોણ કરશે તેમજ તેમની પત્નીની સાર સંભાળ કોણ રાખશે. હકીકતમાં જ્યારે જ્યારે વ્યક્તિને દુઃખ આવી પહોંચે છે. ત્યારે તે દુઃખથી નાસીપાસ થઈને ભાગવાના પ્રયત્નો કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ જીવનમાં આવનારી તમામ પરિસ્થિતિઓનો નીડરતાથી સામનો કરવો જોઈએ અને ગમે તેવા દુઃખ આવી પડ્યા પણ દુઃખને હરાવવાની કોશિશ કરવી જોઈએ..
આવા સમયમાં થોડા ઘણા અંશે મિત્રો સ્નેહીજનો અને પરિવારનો પણ સાથ સહકારની જરૂર પડે છે. આ તમામનો સપોર્ટ લઈને જિંદગી સામે લડવું જોઈએ. પરંતુ હવેના લોકોમાં ક્યાંક ને ક્યાંક સહનશક્તિની ખોટ વર્તાઈ આવી છે. અને સહેજ અમથું પણ દુઃખ આવી પડે કે, લોકો આપઘાત કરવા ચાલી નીકળતા હોય છે..
આવા લોકોને અમારા ન્યુઝ પોર્ટલના માધ્યમથી એક નમ્ર અપીલ છે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિને ખૂબ મોટું દુઃખ આવી પડે ત્યારે નજીકના સંબંધી તેમજ સ્નેહીજનો અને મિત્રોને વાતચીત કરવી જોઈએ અને હળવા મને તમામ પરિસ્થિતિઓનો નિવેડો શોધવો જોઈએ, ન કે આપઘાત કરીને જીવ ટૂંકાવવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]