કેટલાક બનાવો ખુબ જ ચોંકાવનારા સાબિત થતા હોઈ છે. ક્યારેક ક્યારેક પરિવારજનો પણ ચક્કર ખાઈ પડે એવા મામલાઓ સામે આવવા લાગ્યા છે જેમાં વધુ એક કિસ્સો બિહારના ગયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં બંધ રૂમમાં માતા-પુત્રની લાશ લટકતી જોઈને એ વિસ્તારમાં રેહતા લોકોમાં ચકચાર મચી ગયો હતો.
આ ઘટના બિહારના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના પંચાયતી અખાડા વિસ્તારના બદામ ગલીમાં બન્યો છે. આ ગલીમાં નોકરાણી તરીકે કામ કરતી એક મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. તે છેલ્લે 3 દિવસ પહેલા લોકો વચ્ચે દેખાઈ હતી. ત્યારબાદ તેના ઘરનો દરવાજો બંધને બંધ જ દેખાતા પાડોશીઓ પણ મુંજવણમાં મુકાઈ ગયા હતા..
તેઓએ વિચાર્યું કે આ મહિલા કોઈ કામકાજમાં ફસાઈ હશે એટલા માટે દેખાતી નથી પરતું આ મહિલાના ઘરના દરવાજા પાસેથી પસાર થતા દરેક લોકોને ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. જેને કારણે હોબાળો મચી ગયો અને અંતે પાડોશીએ દરવાજો ખટખટાવ્યો હતો. પરતું કોઈએ દરવાજો ન ખોલતા અંતે તેઓએ દરવાજો તોડી નાખ્યો અને જોયું તો..
તેમના હોશ ઉડી ગયા હતા કારણ કે રૂમની અંદર આ મહિલા તેના દીકરા સાથે લટકી રહી હતી. આ ઉપરાંત તેના પલંગ પરથી 500 રૂપિયાની ઘણી બધી નોટો ફાટેલી હાલતમાં મળી આવી હતી. લોકોના ટોળે ટોળા ત્યાં એકઠા થવા લાગતા જ પાડોશીએ તાત્કાલિક આ બનાવની જાણ પોલીસને પણ કરી હતી..
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચીને તપાસ ચલાવવાની કામગીરી કરવા લાગ્યા હતા. બંધ રૂમમાંથી માતા-પુત્રના મૃતદેહ મળી આવ્યા છે. બન્ને છત સાથે લટકતા હતા.પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે તેને રૂમની અંદર દિવાલ પર ચોંકાવનારી વસ્તુ લખેલી મળી. દિવાલ પર વકીલ અને ન્યાયાધીશ વિશે કંઈક લખ્યું હતું..
પરંતુ શું લખ્યું હતું તે સ્પષ્ટ નથી, સુસાઈડ નોટ પણ તૂટેલી ભાષામાં છે. તે જ સમયે, ફાટેલી પ્લેટમાં મોટી સંખ્યામાં 500 રૂપિયાની નોટો રાખવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બંને માતા અને પુત્ર છે. મહિલા નોકરાણી તરીકે કામ કરતી હતી. તે ત્રણ દિવસ પહેલા વિસ્તારમાં જોવા મળ્યો હતો.
કોતવાલી પોલીસ સ્ટેશનની પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કોતવાલીના એસએચઓ કૌશલેન્દ્ર કુમાર અકેલાએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આપઘાતનો મામલો લાગે છે. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાનું કારણ સ્પષ્ટ થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]