અમુકવાર કોઈક પરિવાર પર એવી મુસીબતો ત્રાટકી પડે છે કે જેમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બની જતું હોઈ છે. જો એમાં કુટુંબના અન્ય કોઈ સભ્યનો સાથ કે સહકાર ન મળે તો તેઓ મુંજવણમાં ને મુંજવણમાં એવું પગલું ભરે લે છે કે જેના થકી સૌ કોઈ લોકોના થથરાટ મચી જતો હોઈ છે.
હાલ કઈક આ જ પ્રકારનો મામલો સામે આવ્યો છે. જે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં બન્યો છે. એક એક હચમચાવતા સમાચાર છે. જેણે સૌ કોઈ લોકોના ડોળા ફડાવી નાખ્યા છે. ભિંડ જિલ્લાના ગોહાડથી 3 કિમી દૂર આવેલા કાથમા ગામ આવેલું છે. આ ગામમાં ધર્મેન્દ્ર ગુર્જર તેની પત્ની અમરેશ સાથે રહે છે..
લગ્નજીવન દરમિયાન તેમને ત્યાં 2 બાળકો પણ હતા. બાળકોમાં 11 વર્ષનો પ્રશાંત અને 9 વર્ષની મીનાક્ષીનો સમાવેશ થાય છે. તેઓના ઘરનો દરવાજો ઘણા લાંબા કલાકો બાદ પણ ખુલ્યો ન હતો. પાડોશીને થયું કે તેઓ ક્યાંક બહારગામ ગયા હશે એટલે તેઓએ તપાસ ન કરી પરતું થોડીવાર માં જ બંધ ઘરની અંદરથી છોકરીના રડવાનો અવાજ સંભળાયો હતો.
પડોશી પણ મુંજવણમાં મુકાઈ ગયા તેઓએ તાત્કાલિક આ ઘરની નજીક જઈને દરવાજો ખટખટાવ્યો હતો પરતું કોઈએ જવાબ ન દેતા અંતે તેઓએ દરવાજો તોડી નાખ્યો અને અંદર પ્રવેશ કરીને જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા કારણ કે તેમની નજર સામે જ સમગ્ર પરિવારજનોએ લટકીને આપઘાત કરી લીધો હતો..
આ દ્રશ્ય જોઈને પાડોશીના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. તેઓએ તાત્કાલિક પોલીસને ફોન કર્યો અને આ બાબતની જાણ આપી હતી. આ ઘરની અંદર કુલ ત્રણ લોકોના મોત થયા છે. એક બાળકીનો જીવ બચી ગયો છે. આ બાળકીની પૂછપરછ કરીનેયોગ્ય કારણ જાણવામાં મથામણ ચાલી રહી છે.
ધર્મેન્દ્ર, તેની પત્ની અમરેશ અને પ્રશાંત મૃત્યુ પામ્યા છે. આસપાસના લોકોની મદદને કારણે 9 વર્ષની માસૂમ પુત્રી મીનાક્ષીનો જીવ બચી ગયો હતો. તેમની હાલત નાજુક હોવાને કારણે પ્રાથમિક સારવાર બાદ તેમને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રનો 11 વર્ષનો મોટો પુત્ર પ્રશાંત જમીન પર પડ્યો હતો.
ત્રણેયના મોત થયા હતા. રૂમમાં જ જમીન પર પડેલી 9 વર્ષની માસૂમ દીકરી મીનાક્ષી પણ પીડાઈ રહી હતી, જેના ગળા પર પણ ખુબ જ જોરદાર નિશાન પણ હતાં. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તરત જ બાળકીને ગોહાદ હોસ્પિટલમાં મોકલી અને પ્રાથમિક સારવાર બાદ તેને ગ્વાલિયર રિફર કરવામાં આવી.
તેઓના આ પગલા પાછળ શું કારણ હશે તેને જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે તેમના આ પગલા પાછળ આર્થિક સંકડામણનો મામલો સામેલ હશે તો કોઈક કહી રહ્યું છે કે તેમને કદાચ માન સન્માન અને લાગણીઓમાં ઠેસ પહોચી હશે જેના કારણે આ પગલું ભર્યું હોઈ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]