જે કોઈ વ્યક્તિને સતત ને સતત માનસિક બીમારી રહેતી હોય છે. તેવું કોઈક વાર ઊંધું પગલું પણ ભરી લે છે. પરિવારના જે સભ્યોને માનસિક બીમારી હોય તેની સાથે સતત એક વ્યક્તિને રહેવું પડે છે. તેમજ તેની દરેક મુસીબતોનો હલ હંમેશા કરી આપવો પડે છે. કારણ કે માનસિક રીતે ભાંગી પડેલા વ્યક્તિઓને વધુ દુઃખ આવી પડે ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઈ જાય છે..
અને અંતે આપઘાત જેવું પગલું પણ ભરી લેતા હોય છે. અત્યારે રાજકોટના 80 ફૂટ રોડ ઉપર શ્રી રામ ટાઉનશીપ આવેલું છે. નાના મહુવા રોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના ટાઉનશીપ માં સોનલબા દિગ્વિજયસિંહ પઢિયાર પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. તેમની ઉંમર ૩૦ વર્ષની હતી.
તેઓ છેલ્લા કેટલાક દિવસથી માનસિક બીમારીથી ખૂબ જ કંટાળી ગયા હતા અને અંતે તેઓએ તેમનો રસ્તો શોધી કાઢ્યો હોય તેવી ઘટના બની ગઈ છે. તેઓએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો..
તેમના સંતાનો સાતમ આઠમનું વેકેશન કરવા માટે પોતાના મામાના ઘરે ગયા હતા. એવામાં ઘરે એકલતાનો લાભ લઈ તેઓએ આ અંતિમ પગલું ભરી દુખદ માહોલ સર્જી નાખ્યો છે. જ્યારે પાડોશીઓને જાણ થઈ કે સોનલબાએ પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. ત્યારે તેઓએ તાત્કાલિક સોનલબા ના પતિ દિગ્વિજયસિંહને આ ઘટનાની જાણ કરી દિગ્વિજયસિંહ તાત્કાલિક ઘરે પહોંચ્યા ગયા..
અને ઘરે જઈને જોયું તો તેમની પત્ની ખૂબ જ ખરાબ હાલતમાં ત્યાં હતી. તેઓએ તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે તેમની પત્નીને ખસેડી હતી. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થઈ જતા. પરિવારજનો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. આ બનાવો જ્યારે બન્યો ત્યારે તેના બંને દીકરાઓ તેમના મામાના ઘરે વેકેશન માણવા માટે ગયા હતા..
તેમજ તેમના પતિ પણ ઘરે હાજર હતા નહીં. આપઘાતના પગલાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો તેમના પરિવારમાં માહોલ ગમીગીન બન્યો છે. સોનલ બાના પતિ દિગ્વિજયસિંહ એ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની પત્ની માનસિક બીમારીથી કંટાળી જઈને અંતે આ પગલું ભરી લેશે. સોનલબા ના આ પગલાંને કારણે પરિવારજનોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે તેઓ માટે આ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]