ચોમાસાની સીઝન શરૂ થતા જ આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ ઉપર ચેકિંગ માટે જાય છે. અને લોકોના સ્વાસ્થ્યને લક્ષીને ખોરાક તેમજ અન્ય ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરતા હોય છે.? પરંતુ ઘણી બધી વાર એવી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે કે…
જે લોકોના સ્વાસ્થયને ખૂબ જ હાનિકારક હોય અને જેના કારણે ખૂબ જ ભયંકર રોગ થવાને ભીતી પણ સતાવતી હોય આવા લોકોને ફૂડ વિભાગના અધિકારીઓ નોટિસ આપે છે અને જરૂરી દંડ પણ ફટકારે છે. કેટલાક દિવસે રાજકોટ શહેરની ફૂડ અધિકારીઓ જુદા જુદા વિસ્તારમાં તપાસ માટે જાય છે.
જેમાં થોડા દિવસ પહેલા એક ફરસાણની દુકાન પર તપાસ ચલાવવામાં આવી હતી. જ્યાંથી ઘણી બધી અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાઈ હતી. આ તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. અને હવે ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ સામે લક્ષ્મીનગર સોસાયટીમાં શ્રીનાથજી ફરસાણ નામની દુકાન આવેલી છે. જ્યાં તીખા ગાંઠિયા વેચાઈ રહ્યા છે..
આ ગાંઠીયા જોતાની સાથે જ ફૂડ વિભાગના અધિકારીઓને કંઈક શંકા જતી હતી. એટલા માટે તેઓએ આ ગાંઠિયાને રિપોર્ટ કરવા માટે લેબમાં મોકલાવ્યા હતા. આ લેબનો રિપોર્ટ સામે આવ્યો ત્યારે જાણ થઈ કે ગાંઠીયાની અંદર સિન્થેટિક ફૂડ કલર અને અન્ય કેમિકલો પણ નાખવામાં આવે છે. જેના કારણે ગાંઠિયાનો કલર એકદમ તીખાશ પડતો આવે તેમજ એકદમ પોચા બને છે..
આ કેમિકલ અને સિન્થેટિક ફૂડ કલરની મદદથી ગાંઠિયાનો વેપાર ધમધમી રહ્યો હતો. આ તમામ ચીજ વસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેવી હતી. આ માહિતી સામે આવ્યા બાદ આ ફરસાણની દુકાન સામે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં કોટે આપ્યો છે.
અને શ્રીનાથજી ફરસાણ નામની આ દુકાનના માલિકને 10000 રૂપિયા નો દંડ ફટકાર્યો છે. તેમજ એક મહિનાની જેલ પણ આપી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ કોઈનો અધિકાર નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર લોકોને તાત્કાલિક ધોરણે કડક માં કડક સજા ફટકારવામાં આવે છે.
આ ઉપરાંત થોડીવારના અધિકારીઓએ સુધાંગ ડેરીમાં પણ તપાસ ચલાવી હતી. જ્યાંથી કેસર શ્રીખંડનો નમુનો લેવાયો હતો. અને તેને લેબમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ શિખંડની અંદર સિન્થેટિક કલર મળી આવ્યો હતો. જેથી ફૂડ વિભાગના અધિકારીઓ તેમની સામે પણ જ્યુડિશિયલ ઓફિસરની કોર્ટમાં કેસ દાખલ કરશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]