આજકાલ ગુમ થઈ જવાની અથવા તો અપ.હ.રણના કેસમાં ખૂબ જ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ જિલ્લામાં બન્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદની મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાયબ હતો. આ વિદ્યાર્થી એક અઠવાડિયા પહેલા પોતાના ઘરેથી નીકળીને મોડાસા ખાતે આવેલી પોતાની ઇજનેરી કોલેજમાં માર્કશીટ લેવા માટે આવ્યો હતો…
પરંતુ ત્યારબાદ તે લાંબા સમયથી ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. નજીકના વિસ્તારોમાં ખૂબ શોધખોળ કર્યા બાદ પણ તેના દીકરા નો પતો ન મળતાં આખરે પોલીસની મદદે પરિવાર પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં જણાયું કે આ યુવક છેલ્લે ઇજનેરી કોલેજમાં માર્કસીટ લઈને નીકળ્યો હતો ત્યારબાદ તે ઘરે પહોંચ્યો નથી.
એવામાં શામળાજીના મેશ્વો ડેમ પાસેથી પોલીસખાતામાં ફોન આવ્યો કે અહીં કોઈ ની લાશ મળી છે. આ સમાચાર સાંભળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ લાશની ઓળખ માટે ગુમ થઈ ગયેલા દિકરાના પરિવારને બોલાવવામાં આવ્યા હતા. એ સમયે જણાવ્યું હતું કે આ લાશ તેમના દિકરાની છે…
નજર સામે લાશને ડેમ માંથી બહાર કાઢતાં જોઈને પરિવાર ઉપર આફતો ના વાદળ તૂટી પડ્યા હતા. તેમનો દીકરો સ્વભાવે ખૂબ જ સરળ હતો તેની સાથે એવું તો શું બન્યું હશે કે યુવક પોતાની હોસટેલમાં રોકાયા બાદ ડેમ સુધી કઈ રીતે પહોંચ્યો…? તેમજ વિદ્યાર્થીએ આપ.ઘાત કર્યો છે કે પછી તેની હ.ત્યા. કરી નાખી છે??
આવા કેટલાય સવાલોએ મોટી ગૂંચવણ ઊભી કરી દીધી છે હાલ મોડાસા પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. થોડા દિવસ પહેલા પણ એક દીકરી પોતાના ઘરેથી પુસ્તકો લેવા માટે બહાર નીકળી હતી. પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ સુધી તેનો અતોપતો ન છતાં પરિવારે પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ દીકરીના પિતા ને ખંડણી માટે ફોન આવ્યો કે અને પાંચ લાખ રૂપિયા જમા કરાવી દો નહીં તો તમે તમારી દીકરી નું મોઢું જોઈ શકશો નહીં. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખંડણી માંગનાર ગેંગ સક્રિય બની છે. ઘણા સમયથી ખંડણીના બનાવો નજર સામે આવતા હોય છે. ગુજરાત પોલીસ આવા તત્વોને પકડવા માટે માસ્ટર પ્લાન બનાવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]