Breaking News

‘અમારા ભાગિયાને શું કેહતો હતો..?’ કહીને 4 કુટુંબી ભાઈઓ યુવક પર ધારિયું લઈને ચોંટી પડ્યા, અને પછી તો થયું એવું કે…!

કેટલાક લોકોને નાની નાની બાબતોમાં ગુસ્સો કરવાની ખૂબ જ ટેવ રહેલી હોય છે. તેના કારણે ભલભલા લોકોના પરિવાર વિખેરાતા સૌ કોઈ લોકોએ પોતાની નજરે જોયા છે. અને હવે તો કુટુંબમાં પણ જોઈએ તેવી એકતા જોવા મળતી નથી ક્યાંક ને ક્યાંક લોકો એકબીજા પ્રત્યે મનમાં ખટાશ ભરીને બેઠા છે..

મોકો મળતાની સાથે જ મારામારી અને હત્યા કે આપઘાતના બનાવ સુધી પણ પગલું ભરી બેસે છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના લાખાવાડા ગામની અંદર ચાર કુટુંબી ભાઈઓ પોતાના જ કુટુંબના એક અન્ય ભાઈને ઢોર માર મારી ગંભીર જાગ્રસ્ત કરી દીધા છે. લાખાવાડા ગામની સીમમાં પીઠુભાઈ ખાચર પોતાની વાડીએ ખેતી કામ કરે છે..

તેઓ એક દિવસ જ્યારે માલ ઢોર છોડતા હતા. એવામાં તેમના કુટુંબી ભાઈ બહાદુરભાઇ રણુભાઈ ભીમાભાઇ અને ગભરૂભાઈ બાઇક લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને કીધું કે તમે અમારા ભાગીયાને માલઢોર બાબતે શા માટે ઠપકો આપી રહ્યા છો એટલું કહીને તેઓ પીઠુંભાઈને વાડીના શેઢે બોલાવ્યા હતા અને મન ફાવે તેમ ગાળો ભાંડી હતી..

ત્યારબાદ માહોલ ધીમે ધીમે બગડવા લાગ્યો અને આ ચારેય કુટુંબી ભાઈઓ આવેશમાં આવીને પીઠુંભાઈને ઢોરમાર મારવા લાગ્યા હતા જેમાં એક યુવકના હાથમાં ધારિયું એકના હાથમાં લોખંડનો પાઇપ એકના હાથમાં લાકડી સહિતના હથિયારો હતા. તેઓએ પીઠુભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે લાકડા અને લોખંડની પાઇપના ફટકા માર્યા હતા..

અને ઘટના સ્થળે જ ગંભીરી જાગ્રસ્ત કરી નાખ્યા હતા. ભાઈઓ ભાઈઓમાં બાધણ થવાને લઈને ગામ લોકોમાં પણ ફાફડાટ મચી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થઈ ત્યારે તેઓ તાત્કાલિક દોડતા થયા અને ખેતરે આવી પહોંચ્યા હતા પરંતુ આ ચાર કુટુંબી ભાઈઓ પીઠુંભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા…

પીઠુભાઈના પરિવારજનોએ પીઠુંભાઈને સારવાર માટે સુદામડા ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સુરેન્દ્રનગર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોતાના જ પરિવારના ભાઈઓએ તેમના પર જીવલા હુમલો કર્યો હતો. એટલા માટે તેઓ ધજાણા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેમના કુટુંબી ભાઈઓ સામે ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરાવી છે.

આ ચાર કુટુંબી ભાઈઓને પોતાને નાની નાની વાતોમાં ગુસ્સે થવાની ટેવને કારણે હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ગામમાં તેઓની બદનામી થઈ એ બદલ તેઓને ઘણું માઠું સહન કરવાનો પણ વારો આવશે. આ મામલાને લઈને આજે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *