કહેવાય છે કે માં તે માં, બીજા બગડા ના વા.. કોઈપણ મુશ્કેલી કે આફતમાં સગી માતા સૌથી પહેલા એના દીકરા કે દીકરીની આડશમાં ઉભી રહેતી હોય છે. ડગલેને પગલે દરેક માતા તેના દીકરા દીકરીને ખૂબ જ સાચવે છે. તેમજ તેમની દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીઓમાં તેમનો સાથ સહકાર આપે છે..
પરંતુ આજે હચમચાવી દે તેવો એક કિસ્સો બન્યો છે. આ કિસ્સો સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, આખરે આ માતાને તેના બાળકને લઈને એક પણ વાર વિચાર નહીં આવ્યો હોય કે શું..? કારણ કે આ માતાએ એવું કર્યું છે કે, જેના કારણે માતાની મમતા લજવાઈ છે.. સુનિતાબેન રામુભાઈ ખુમાન નામની મહિલા ખાનપર ગામમાં રહે છે..
જેની ઉંમર 27 વર્ષની છે. સુનીતાબેન ગર્ભવતી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પરંતુ તેમને અધૂરા મહીને જ એક બાળકીનો જન્મ થયો હતો અને આ જન્મેલું બાળક કુપોસિત હતું. જેના કારણે જન્મતા વેત જ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થયેલા બાળકને 108 મારફતે મોરબી જિલ્લાની હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યું હતું..
અને આ માતાને સાંજના સાડા પાંચ વાગ્યે આસપાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ આ મૃત બાળકીને સાફ-સફાઈ કરવાની કામગીરી કરતી હતી. એ દરમિયાન માતા ટોયલેટમાં જવાના બહાને એ રૂમમાંથી નીકળી ગઈ હતી. અને હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી..
જ્યારે આ બનાવની જાણ હોસ્પિટલના તંત્રને થાય ત્યારે એક દોડધામ મચી ગઈ હતી. અને આ માતાની શરૂ કરી દીધી પરંતુ કોઈને આ માતાનો લાગતા લોકો વિચારમાં મુકાયા અને વિચારવા લાગ્યા કે આ કરે આ આ મૃત બાળકીને મૂકીને તેની માતા કેવી રીતે ભાગી ગઈ હશે શું તેને એક પણ વાર તેની બાળકીનો ખ્યાલ આવ્યો નહીં હોય..?
સહિતના ઘણા બધા સવાલો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ માતાને શોધવામાં આવી રહી છે અને તે ઝડપાશે ત્યારબાદ તમામ સવાલના જવાબ મળશે. હકીકતમાં આ બનાવે માતાની મમતા ને લજવી નાખી છે. આ ઉપરાંત અગાઉ પણ એવા ઘણા મામલાઓ સામે આવ્યા હતા કે જેમાં બાળકીનો જન્મ થતા જ માતા-પિતા કમાવતર બનીને બાળકીને ત્યજે છે.
દરેક દીકરીને જીવવાનો અધિકાર છે. આ બાબત દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ. શું દીકરીઓ દેશનું નામ રોશન નથી કરતી..? શું દીકરીઓ માતા-પિતાને સાચવતી નથી ? સાહેબ, દીકરી વ્હાલનો દરિયો અને માતા લક્ષ્મીના આશીર્વાદ છે. આજકાલની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે અને દેશને આગવી ઓળખ આપવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]