અમુક વખત બીમારીના સામે આવે છે ,કે જેને જોઈને ડોક્ટરના પણ મોતિયા મરી જતા હોય છે. તો પરિવારજનો હેરાન પરેશાન થઈ જતા હોય છે. અત્યારે બિહારના પટના જિલ્લાની એક કોલેજની વિદ્યાર્થીનીની સાથે ખૂબ જ હચમચાવી દે તો બનાવ બન્યો છે. આ બનાવો સહારાસા જિલ્લાનો છે..
અહીં સૌરબજાર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલા બારાહી ગામના રહેવાસી સુખદેવ શર્મા તેમજ મનોર દેવીની દીકરી ગીતા સાથે થયો છે. તે આદર્શ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેને જ્યારે ક્લાસરૂમમાં બેઠી હતી. ત્યારે અચાનક જ તેના આંખના કાન તેમજ હાથ પગ અને શરીરના અન્ય ભાગોએથી પણ લોહીના ટીપા બહાર નીકળવા લાગ્યા હતા.
આ જોઈને તેની આસપાસ બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. કારણકે ગીતાના શરીર ઉપર એક પણ ઈજાના નિશાન કે કોઈપણ ભાવ દેખાયા હતા નહીં છતાં પણ તેના શરીરમાંથી અચાનક જ બહાર લોહીના ટીપા નીકળવા લાગ્યા હતા. આ ઉપરાંત ગીતાની હાલત ખૂબ જ બગડવા લાગતા શાળાના મેનેજમેન્ટએ તેને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવાની ફરજ બજાવી હતી..
આ ઉપરાંત તેના માતા-પિતાને પણ અહીં હોસ્પિટલને બોલાવી લેવામાં આવ્યા હતા. ઈમરજન્સી તપાસ દરમિયાન ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે, તેઓ ગીતાના શરીર ઉપર અચાનક જ બહાર નીકળી આવેલા લોહીના ટીપા જોઈને તેમના પણ મોતિયા મરી ગયા હતા. થોડીવાર તો ડોક્ટર પણ મૂંઝાયા કે, હવે આ ગીતાની સારવાર કેવી રીતે કરવી..
અને ક્યાંથી શરૂઆત કરવી કારણ કે, તેના શરીર ઉપર કોઈપણ જગ્યાએ ઊંડા ઘા કે ઈજાના નિશાન દેખાયા હતા નહીં, અન્ય ડોક્ટરને પણ બોલાવી લેવામાં આવ્યા. જેમાં તપાસ કરતા જણાવ્યું કે, ગીતાને પ્લેટલેટ્સની ઉણપ હોવાનું સામે આવ્યું છે. પ્લેટલેટસના કણો ઘટતા હોવાને કારણે તેના શરીરમાંથી અચાનક જ લોહીના ટીપા બહાર નીકળવા લાગતા હતા..
આ સાથે સાથે તેને હિમોફિલિયાના પણ લક્ષણ હોવાનું જણાયું છે. પરિવારજનોનું કહેવું છે કે, આજથી બે મહિના પહેલા પણ અચાનક જ તેને આવી બીમારી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી નર્સિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પાંચ દિવસ સુધી તેની સારવાર ચાલી અને ત્યારબાદ તે સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી..
પરંતુ બે મહિના બાદ અચાનક જ ફરી એક વખત આ બીમારી થઈ જતા હવે પરિવારજનોને ખૂબ જ મૂંઝવણ થવા લાગી છે. કેટલાક લોકો આ દ્રશ્ય જોઈને કહેતા હતા કે, હવે ગીતાનું બચવું મુશ્કેલ જ છે. તો કેટલાક લોકો હસી મજાકમાં આ બનાવને કાઢી નાખ્યો હતો. પરંતુ ડોક્ટરે કહ્યું કે, આ બંને ખૂબ જ ગંભીરતાથી લેવો પડશે..
અને તેની વધુ સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલમાં જવું પડશે ઘટના જોઈને પરિવારના સભ્યોની સાથે સાથે ડોક્ટર તેમજ આસપાસના સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ બનાવને લઈને શહેરના મોટા મોટા ડોકટરોને પણ હોસ્પીટલે તપાસ માટે બોલાવી લેવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]