આમ તો મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો અનેક લોકો ડોક્ટર ને ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે કારણકે આપની આસપાસ અનેક એવા કિસ્સાઓ જોવામાં આવ્યા છે કે ડોક્ટર ની ચપળતા અને સમજણ ને કારણે અનેક વિચિત્ર અને અઘરા કેસો પણ આસાનીથી ઉકેલતા કિસ્સાઓ આપણા સાંભળવામાં અવારનવાર આવતા જ હોય છે પરંતુ કેટલીકવાર લેભાગુ તત્વો બધા નું નામ બદનામ કરતા હોય છે.
ગત દિવસમાં ઘણા બધા એવા બનાવો બની ચૂક્યા છે કે જેમાં વ્યક્તિ પોતાનો જીવ ગુમાવતો હોય છે પરંતુ તેના જીવ ગુમાવવાનું કારણ બીજા વ્યક્તિની બેદરકારી પણ હોઈ શકે છે ઘણા બધા એવા કેશો પણ આવ્યા છે કે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે અને તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં ન આવે તો તેનું મોત થતું હોય છે આવો જ બનાવો ગત દિવસમાં સુરતમાં બન્યો છે.
આ બનાવ બનતા ની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે ભાવનગર પાલીતાણા તાલુકાના વતની અને કાપોદ્રામાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગ ની ઓફિસ ચલાવે છે તેમની પત્ની પ્રિયંકા અણધણ જેમની ઉંમર 25 વર્ષ છે જેને એપેન્ડિક્સ ની તકલીફ હોવાથી તાત્કાલિક તેઓને સરથાણા ની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેઓની તબિયત લથડતા તેઓનું મોત થયું છે તેવું હોસ્પિટલ ના કર્મચારી અને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ પરિવારજનો ન્યાય માંગે છે કે આ મૃત્યુ વધુ પ્રમાણમાં ક્લોરોફોર્મ સુંધાડવાના કારણે થયું છે આ પરણીતાનું ઓપરેશન બાદ મોત નીપજતા પરિવારે ડોક્ટર સહિતના સ્ટાફની બેદરકારીને કારણે તેનું મોત થયું હોવાની અપેક્ષ કર્યો હતો પરિવાર પેનલ પીએમ માંગ કરતા પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું મૃતકના 30 કલાકે પણ મૃતદેહ સ્વીકારાયો ન હતો.
પોલીસ દ્વારા જ્યારે વધુ માહિતી માટે પરિવારજનોની મુલાકાત લેવામાં આવી ત્યારે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓપરેશન કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે 30 મિનિટમાં ભાનમાં આવી જશે પણ આખરે મૃત્યુ થયું હતું પતિ વિવેકે જણાવ્યું છે કે ઓપરેશન બાદ સ્ટાફના લોકોએ કહ્યું હતુંકે 30 મિનિટમાં ભાનમાં આવી જશે ત્યારબાદ સ્ટાફે કહ્યું કે એક કલાક પછી હવે ભાનમાં આવી જશે પરંતુ તે છતાં પણ હજુ ભાનમાં ન આવી હતી ત્યારબાદ ત્રણ કલાકમાં પણ ભાનમાં ન આવી હતી.
જાણ કરવા છતાં ડોક્ટરે પ્રિયંકા ને જોઈ ન હતી ડોક્ટર પાસે બે વખત ગયા બાદ વિવેક અને તેમના કાકાએ પ્રિયંકાનો હાર્ટ એટેક થી મોત થયું હોવાનું જણાવી દેવાયું હતું પ્રિયંકા નું મોત વધારે પડતું ક્લોરોફોમ સુંઘાડવાથી થયું હોવાનું પરિવારનું માનવું છે અને તેઓના લીધે તેઓએ જ્યાં સુધી તેઓને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કર્યું છે અને પોલીસે પેનલ પીએમ કરાવી એફએસએલ સેમ્પલ લઇ ને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સરથાણાની આનંદ હોસ્પિટલમાં બનવા પામી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]