Breaking News

આશ્રમમાં ભણતા 14 વર્ષનો દીકરાને પિતાએ ઠપકો આપતા થઈ ગયો ગુમ, માં-બાપ માટેઆંખો ખોલતો બનાવ..!

બાળકોની નાની કુંડળી હોય તો ભવિષ્યની ખૂબ જ ઉજવળ કારકિર્દી પ્રાપ્ત કરવા માટે બાળપણમાં જ સારો એવો ભોગ આપવો પડતો હોય છે. ખાસ કરીને નાનપણમાં તો ખેલકૂદ અને રમત ગમતની સાથે બાળકોને માથે મુખ્ય તો અભ્યાસની જવાબદારી રહેલી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના મહામારી અને લોકડાઉન જેવી સમસ્યા બાદ બાળકોને મોબાઈલ પ્રત્યેનું વળગણ સતત ને સતત વધતું જ જાય છે..

તેના કારણે અનેક નેગેટિવ અસર પણ બાળકોના માનસપટલ પર જોવા મળી રહી છે. અને તેના દાખલાઓ દિવસેને દિવસે આપણી જ આજુબાજુ વધી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જણાવી રહ્યું છે. હાલમાં એવો જ એક દરેક મા બાપની આંખો ખોલી દેતો બનાવ સામે આવ્યો છે. જેની વધારેમાં જો વાત કરવામાં આવે તો રાજકોટની માધાપર ચોકડીના રહેવાસી દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્યએ હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે…

કે તેમનો દીકરો પાર્થ બેલા ગામ પાસે નજીકમાં જ આવેલા હનુમાન સદગુરુ આશ્રમમાં રહીને નવમા ધોરણમાં ભણી રહ્યો હતો. જે છેલ્લા કેટલાક દિવસથી લાપતા થયો છે. અને પરિવારના કોઈ પણ સભ્યો સાથે તેની વાતચીત શક્ય બની નથી. જે બનાવમાં ફરિયાદ કરવા આવેલ દેવેન્દ્રભાઈ આચાર્ય અને તેમના પત્ની દક્ષાબેન સુરાપુરા પાસે આવેલા ફલા જવા નીકળ્યા હોય ત્યારે સાઢુભાઈ એવા નિખિલભાઇ નો ફોન પણ તેમના પર આવ્યો હતો કે…

પાર્થ સદગુરુ આશ્રમ ખોખર હનુમાનજી કોઈને પણ જાણ કરી આવી ના જતો રહ્યો છે. તેથી તેના પિતા પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા અને ઘરે જઈને તપાસ કરી તો પાર્થ ઘરે પણ નહોતો આવ્યો થોડા સમય માટે તો તેની રાહ પણ જોવામાં આવી. પરંતુ સાંજ થઈ ગઈ છતાં પણ પ્રાપ્ત કરે નહોતો આવ્યો ત્યાર પછી નજીકના તમામ સગા સંબંધીઓને એક પછી એક ફોન કરવાનું ચાલુ કર્યું હતું..

અને પૂછવાની કોશિશ કરી કે કોઈના ઘરે પાર્થ પહોંચ્યો છે કે, કેમ..? તપાસ બાદ ખ્યાલ આવ્યો કે નજીકના સગાસબંધી કે કોઈના ઘરે પણ પાર્થનો અતોપતો લાગ્યો ન હતો. ત્યારબાદ તેમના શાળા અનિરુદ્ધ ભાઈ ભરતભાઈ દેહાળ જેવો પોતે મોરબી વાળા બંને સદગુરુ આશ્રમ ખોખારા હનુમાન પાસે પાર્થને તપાસ કરવા માટે પહોંચ્યા…

ત્યાં તેમણે પરિસરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ચેક કરતા તેમને દેખાયું કે અંદાજે સવારે 5:30 વાગ્યે પાર્થ આશ્રમથી એકલો જ હાથમાં થયેલી લઈને બાર જતો દેખાયો હતો તે પછી નજીકની તમામ હોટલો જાહેર સ્થળોએ પણ તપાસ કરી પણ તેમનો પતો લાગ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્થ જ્યારે થોડા મહિના પહેલા ઘરે ગયો હતો..

ત્યારે પણ તેણે આવી જ એક હરકત કોઈને કહ્યા વિના ભાગી ગયો હતો. ત્યારબાદ સાઢુભાઈ નિખિલભાઇના ઘરે ગયો ત્યારે તેના ફરિયાદી પિતા મળવા ગયા હતા. ત્યારે પાર્થે અભ્યાસ ના કરવાનો જણાવતા તેના પિતાએ એટલું કહ્યું હતું કે, નવમું ધોરણ પૂરું કરી લે.. આવું ભણવાનું ના પાડતા દીકરાને કહ્યું હતું…

જે પાર્થને ગમ્યું ન હતું. તેના કારણે તે આશ્રમ ખોખરા હનુમાન ખાતેથી કોઈ અલગ જ જગ્યાએ જતો રહેવા ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મોરબી પોલીસે માત્ર 14 વર્ષના બાળક ગુપ્ત થવાના બનાવમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો પણ ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *