Breaking News

‘આપડે હવે આવતા જન્મમાં મળીશું’ કહીને આધેડે યુવક નહેરમાં કુદીને આપઘાત કરી લીધો, અંતિમ ચિઠ્ઠીઓ વાંચી હેબતાઈ જશો..!

ગુજરાત રાજ્યના વાપી જિલ્લામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ દ્વારા પોતાના પત્ની અને પત્નીના પિયર પક્ષના લોકોથી કંટાળીને વાપી નજીક આવેલી કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. રમેશભાઈ રત્નાભાઇ માયાવંશી પોતાના પરિવાર સાથે વાપી જિલ્લાના બલીઠા વિસ્તારમાં રહેતા હતા.

રમેશભાઈ ને 20 વર્ષનો પુત્ર અને 18 વર્ષની એક પુત્રી પણ છે. રમેશભાઈ વાપીમાં એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેનાથી જ તેઓ પોતાનું પરિવારનું ભરણપોષણ કરતા હતા. રમેશભાઈના બહેન ના લગ્ન મહીસાગર જિલ્લાના સાવલીમાં રહેતા રાજેશભાઈ પરમાર સાથે થયા હતા. તેમનો એક પુત્ર ૧૯ વર્ષીય હતો. જેનું નામ અમિતકુમાર હતું.

થોડા દિવસો પહેલા રમેશભાઈ તેની પત્નીને કામકાજને બાબતે લઈને ઠપકો આપ્યો હતો. જેના કારણે તે પોતાના દીકરા-દીકરીને લઈને પોતાના માતા-પિતાને ઘરે પાંડવા જતી રહી હતી. ગઈકાલે રમેશભાઈ પોતાની બહેનના ઘરે સાવલી ગયા હતા. ત્યાંથી તે પોતાના પત્ની અને બંને સંતાનોને લેવા માટે પાંડવા જવાના હતા.

જ્યારે તેણે આ બાબત વિશે તેની પત્નીને જણાવ્યું ત્યારે તેણે રમેશભાઈને ધમકી આપતા કહ્યું કે, અહીં આવતા નહીં અને જો ત્યાં આવશે તો હાથ પગ તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રમેશભાઈએ તેના ભાણા અમિતકુમાર ને જણાવ્યું હતું કે તે તેના પિયર પક્ષના સાસુ કમળાબેન, સાળો નરેશભાઈ, સાળી કૈલાસબેન તેમજ તેની પત્ની જોતીબેન લગ્ન બાદથી તેમને વારંવાર પૈસાની લેવડ દેવડ બાબતે હેરાન કરતા હતા.

જેથી તેઓ કંટાળી ગયા હતા. આ વખતે રમેશભાઈએ આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. તેઓએ આપઘાત કરતા પહેલા સ્ટેટસ મુકતા લખ્યું હતું કે ‘જ્યોતિ આપણે આવતા જન્મમાં મળીશું, બાય’. જ્યારે અમિત કુમારે તેના મામા  રમેશભાઈને આ બાબતે સવાલ કરતા તેઓએ કોઈ પણ જવાબ આપ્યો ન હતો.

અમિતે તેમને ફોન પણ કર્યો હતો. પરંતુ તેઓ ઉપાડી રહ્યા ન હતા . આ ઉપરાંત થોડા સમય બાદ જ્યારે અમીતકુમારે તેના મામાંને ફોન કર્યો, ત્યારે અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું કે આ ફોનવાળા ભાઈ કેનાલમાં કૂદી ગયા છે. આ જાણીને અમિતકુમાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

તેને તેના તમામ પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી. જ્યારે અમિત કુમારે તેના મામી એટલે કે રમેશભાઈના પત્નીને ફોન કર્યો, ત્યારે તેનો જવાબ સાંભળીને અમિતકુમાર સ્તબ્ધ થઈ ગયો હતો. અમિતના મામી એ કહ્યું હતું કે તેને કેનાલમાં ડૂબીને મરવા દો.

અમિત કુમારે તરત જ વાપી પોલીસ સ્ટેશનમાં તેના મામી અને તેના પિયર પક્ષના અન્ય પાંચ લોકો વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ તમામ લોકોને પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમના પર ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. રમેશભાઈના મૃત્યુ પર તેમના સંતાનો કરતા વધુ દુઃખ તેના ભાણા અમિતકુમાર એ વ્યક્ત કર્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *