ચોર લૂંટારા અને કોઈ મોકો મળે કે તેઓ તરત જ ચોરી કરવાનું કાવતરું ઘડી નાખતા હોય છે. જો કોઈ વ્યક્તિને તેઓ એકલા જ હોય અને તેણે સોના ચાંદીના આભૂષણ પહેરેલા હોય તેમજ તેમની પાસે કોઈ કિંમતી ચીજવસ્તુ રહેલી હોય તો ચોર લૂંટારાઓ તેમને પોતાની જાણમાં ફસાવીને ધ્યાન ભંગ કર્યા બાદ ચોરી કરી લેતા હોય છે..
ગઈકાલે મહેસાણા જિલ્લાના બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. બહુચર માતાજીના મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કારણ કે માતાજીની મહિમાનો કોઈ પાર નથી રોજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થઓની ભીડ લાગે છે. પરંતુ આ ભીડનો ફાયદો ઉઠાવીને ચોરી કરતી બે મહિલાઓ હાથ સફાઈ કરીને ચાલી ગઈ છે..
હકીકતમાં મંદિર જેવા યાત્રાધામોમાં દર્શાવ્યા કરવા માટે શ્રદ્ધાળુઓની ખૂબ મોટી ભીડ હોય છે. આ ભીડમાં કેટલાય લોકોના પગ કચડાઈ જતા હોય છે. તો કેટલાય લોકો ધક્કા મૂકીને કારણે પડી પણ જાય છે. આ ધક્કા મૂકીને લાભ લઈને બે મહિલાએ તેના આગળના ભાગે ઉભેલી અને દર્શન કરતી એક મહિલાના ગળામાંથી સોનાનો ચેન ચોરી કરી લીધો હતો..
પરંતુ તેની આ કાળી કરતુત મંદિરના પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી. અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે રહેતા સાધનાબેન પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તેઓ જ્યારે દર્શન કરતા હતા ત્યારે એક લોકોની ભીડ વધી ગઈ હતી. અને ધક્કા મૂકી થવા લાગી હતી..
તેઓએ તેમના ગળામાં સોનાનો ચેન પહેર્યો હતો. એ જોતજોતામાં ચોરી થઈ ગયો હતો. ચોરીની આ ઘટના સામે આવ્યા બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જેમાં દેખાયું કે બે મહિલાઓ આ ભીડભાડમાં સામેલ હતી અને તેઓ મંદિર સુધી પહોંચી આવી હતી. જ્યારે સાધનાબેન દાનપેટીમાં નાખવા માટે પાકીટમાંથી પૈસા કાઢવામાં વ્યસ્ત હતા..
એ સમયે પાછળથી બે મહિલાઓ આવે છે. અને તેમના ગળામાંથી સોનાનો ચેન સેરવીને જતા પણ રહે છે. તેમણે પહેરેલો ચેન 13 ગ્રામનો હતો એટલે કે તેની કુલ કિંમત 43 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એક મહિલાએ દોરો કાઢી લીધો હતો. જ્યારે બીજી મહિલાએ સાડી ઉંચી કરી હતી જ્યારે મહિલાને જાણ થઈ કે તેની સોનાની ચેન ચોરી થઈ છે..
ત્યારે તેને વરખડીવાળા મંદિરે ફરિયાદ નોંધાવી હતી. આસપાસના દર્શનાર્થીઓ પણ આ ચોરીને જોઈ ન લે એટલા માટે તેને પોતાની સાડી ઉંચી કરીને આ તમામ દ્રશ્ય છુપાવ્યું હતું. પરંતુ આ તમામ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે. ચોર લૂંટારાઓની હિંમત દિન પ્રતિદિન એટલી બધી વધી રહી છે કે, હવે તે મંદિર જેવા પવિત્ર ધામમાં પણ પણ પોતાની કાળી કરતુતો છોડી રહ્યા નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]