અત્યારે આપઘાતનું વધુ એક બનાવો જામનગર શહેરના રણજીતસાગર રોડ પરથી સામે આવી ચૂક્યો છે. જ્યાં રઘુવીર પાર્ક શેરી નંબર ચાર ની અંદર ત્રિભુવનભાઈ વસંતભાઈ ઝાલાવાડીયા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમની ઉંમર 48 વર્ષની છે. અને તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે..
તેઓએ અચાનક જ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં પોતાના ઘરે જઈને રૂમ બંધ કરી ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. અને જીવનવી દીધું છે. તેઓએ આ આપઘાત કયા કારણોસર કર્યો છે. તેની ઝીણવટ ભરી કાર્યવાહી પોલીસએ શરૂ કરી દીધી છે. જ્યારે આસપાસના રહીશોએ ત્રિભુવનભાઈના મોટાભાઈ શૈલેષભાઈને જાણ કરી કે તમારા ભાઈએ રૂમમાં જઈ આપઘાત કરી લીધો છે..
ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલને પણ ફોન કરીને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. પોલીસે આ મૃતદેહનો કબજો લઈ જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમજ તેઓએ કયા કારણોસર આપઘાત કર્યો છે. તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસ બાદ માહિતી મળશે કે તેમના આપઘાત પાછળ કોઈ આર્થિક સંકળામણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે.
જ્યારે કોઈ વ્યક્તિને દુઃખ આવી પડતું હોય છે. તેમજ દરેક પરિસ્થિતિમાંથી તે બહાર નીકળવાને બદલે અંદર અને અંદર ખૂંચતો જાય છે. આ ઉપરાંત તેમાંથી બહાર નીકળવાનો કોઈ પણ ઉપાય તેને ન દેખાય અને ખૂબ જ હતાશ થઈ ગયો હોય.. ત્યારબાદ તે આપઘાત જેવું મોટું પગલું ભરી લેવા જતો હોય છે..
જો એવા સમયે તેને કોઈ સજ્જન વ્યક્તિનો સહારો મળે કે, જે તેને દિલાસો આપે કે આવનારા સમયમાં જિંદગીમાં બધું સારું થઈ જશે. તો કદાચ જે તે વ્યક્તિ આપઘાત કરતા બચી શકે છે. પરંતુ આવા વ્યક્તિઓનો સહારો ન મળતા અંતે આપઘાતનું પગલું ભરી લે છે. અને પોતાની જીવન લીલા સંકેલી લેતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]