આત્મહત્યાના ઘણા બધા બનાવો સરકારી ચોપડે નોંધાતા હોય છે. જેમાંથી મોટાભાગની આત્મહત્યા કયા કારણસર થઇ છે તેનું કારણ મળી જતું હોય છે. પરંતુ અમુક આત્મહત્યાના કારણો હંમેશાં હંમેશા માટે રહસ્યમય બની રહેતા હોય છે. કારણ કે ઘટના સ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ અને આત્મહત્યા કરનાર વ્યક્તિનું વર્તન એકદમ સારું હોવાને કારણે તેને કયા કારણોસર આત્મહત્યા કરી હશે તે બાબત વિશે જાણવી ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ કાજ હોય છે..
ગાંધીનગરના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં કેતન રાવલ પોતાના પરિવારજનો સાથે રહેતો હતો. કેતનની ઉંમર ચોવીસ વર્ષની હતી. એક દિવસ રાતે કેતન ક્યાંક ચાલ્યો ગયો હતો. લાંબા સમય બાદ પણ ઘરેના આવતા પરિવારજનો અને તેની શોધખોળોની કામગીરી હાથ ધરી હતી..
પરંતુ તેનો ક્યાંય અતો પતો ન મળતા આખરે પોલીસ સ્ટેશનમાં કેતન ગુમ થયા હોવાની ફરિયાદ પરિવારજનોએ નોંધાવી હતી. જેમાં બીજા દિવસે કેતનની લાજ ભાદર ગામના સીમા એક ઝાડ પરથી લટકેલી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસે આ માહિતી પરિવારજનો સુધી પહોંચાડી હતી..
ઘટનાસ્થળેથી કેતનની સયુસાઈડ નોટ પણ મળી આવી હતી. પરંતુ તેમાં કોઈ વ્યવસ્થિત માહિતી ન મળતાં પરિવાર જાણે કે તેમની અંતિમવિધિ કરી નાખી હતી. અને આત્મ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. તે બાબતની જાણ મળી ન હતી. પરિવારજનો પણ આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત હતા.
કેતન ના મૃત્યુ ના પાંચ દિવસ પછી કેતનની નવ વર્ષની ભત્રીજી રિયા કેતનના મોબાઈલમાં ગેમ્સ રમવા માટે પાસવર્ડ નાંખીને મોબાઈલ નંબર અનલોક કર્યો હતો. પરિવારજનોને કેતનના મોબાઈલનો પાસવર્ડ ખબર ન હતો. પરંતુ કે તેમની ૯ વર્ષની ભત્રીજી રિયાને પાસવર્ડ ખબર હોવાથી મોબાઇલ નો લોક ખુલી ગયો હતો..
પરિવારજનો જ્યારે કેતન મોબાઈલની તલાશી લીધી તો જણાયું કે કે તમને છત્રાલ વિસ્તારમાં રહેતા વિષ્ણુજી ઠાકોર નામનો એક યુવક ડરાવી ધમકાવી રહ્યો હતો. હકીકતમાં વિષ્ણુજી ઠાકોર નામના યુવકને એવી શંકા હતી કે કેતન રાવલ તેમજ તેમની દીકરી બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા છે..
પરંતુ આ બાબત બિલકુલ ખોટી હોવાથી કેતન અવારનવાર વિષ્ણુજી ઠાકોરને ના પાડી રહ્યો હતો .પરંતુ વિષ્ણુજી ઠાકોર કે તને મારી નાખવાની તેમજ આખા ગામમાં તેને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. એટલા માટે કે ખૂબ જ ગભરાઈ ગયો હતો. અને અંતે તેણે આત્મહત્યા કરવાનું પગલું ભરી લીધું હતું.
પરિવારજનોને કેતન રાવલ ના ફોન માંથી ઘણા બધા ઓડિયો રેકોર્ડિંગ પણ મળ્યા છે. જેમાં વિષ્ણુજી ઠાકોર કેતનને ચોખી ધમકી આપતો નજરે ચડે છે. આ તમામ પુરાવાઓ અને પરિવારજનોએ કલોલ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા છે. અને વિષ્ણુજી ઠાકોર નામના યુવક સામે આત્મહત્યા કરવા માટે તેમજ ધાક-ધમકી અને પૈસા આપવાના ગુનામાં ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]