આજના સમયમાં લોકો સાથે આકસ્મિક ઘટનાઓ બનતા તેઓ પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. લોકો સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. હાલના સમયમાં અનેક રોગ વધી રહ્યા છે અને અનેક બીમારીઓ લોકોને થઈ રહી છે, જેને કારણે લોકો બીમારીનો ભોગ બનતાં જ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવાર નિરાધાર બની જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પાલીના ચંદાવલ નગરમાં રહેતા સુવર્ણકારોના મુખ્ય બજારમાં બની હતી. મુખ્ય બજારમાં ઘણા સમયથી એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના 6 સંતાનો રહેતા હતા.
પિતાનું નામ ધીરજ સોની હતું અને તેઓ પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહેતા હતા. તેમના સૌથી મોટા દીકરાનું નામ અશોક સોની હતું. તેમની ઉંમર 28 વર્ષની હતી અને તેની પત્નીની માનસિક સ્થિતિ થોડી સારી ન હતી. તેઓને પહેલેથી જ માનસિક બિમારી હતી. જેના કારણે તે કયું કામ કરી રહ્યા છે, તેની પણ તેને ખબર રહેતી ન હતી.
છતાં પણ તેમને પોતાના 6 સંતાનોને મોટા કર્યા હતા. 6 ભાઈ-બહેનોમાં અશોક સૌથી મોટો દીકરો હતો. તે પ્લમ્બરનું કામ કરતો હતો અને તેમના પિતા ધીરજને જોધપુરમાં કોઈ કામ હોવાને કારણે ગયા હતા. તે દિવસે અચાનક જ અશોકની તબિયત બગડી હતી અને અશોકને ઝાડા ઉલટી થઈ ગયું હતું.
જેના કારણે અશોકને તેના પાડોશીના લોકો ચંદાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. તે સમયે તપાસ કરતા અશોકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની તબિયતની સારવાર ઝડપથી ન થતા તેને પોતાનો જીવ આવ્યો હતો. પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જેના કારણે પિતા તરત જોધપુરથી ચંદાવન આવ્યા હતા અને તેમના પરિવારના દીકરાનું મોત થઈ જતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. 6 ભાઈ બહેનોના મોટા દીકરાનું મૃત્યુ જતાં તેની માતા આ આઘાત સહન કરી શકી ન હતી અને તેમના પિતા પણ આઘાતમાં સરી પડ્યા હતા. યુવાન દીકરાનું અકાળે મૃત્યુ થઈ ગયું હતું..
જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી ગયું હતું. પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવામાં મદદ કરી રહેલા દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવાર ભાંગી પડ્યો હતો. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી અને આજકાલ આવા વાયરસો પણ થઈ રહ્યા છે જેના કારણે પરિવારના લોકો તેમાં સંકળાય જતા પોતાના જીવ ગુમાવી રહ્યા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]