Breaking News

5 મહિનાના દીકરાને મૂકી માતાએ ટ્રેન નીચે કુદકો લગાવી આપઘાત કરી લીધો, અંતિમ નોટ વાંચતા જ સામે આવી મોટી કરતૂતો…

આજકાલ આપઘાતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને અથવા પોતાના પારિવારિકને કલેશને કારણે આપઘાત કરતા હોય છે. આવી જ એક આપઘાતની ઘટના રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં સામે આવી છે. જ્યાં એક ૫ મહિનાના બાળકની માતાએ ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

રામકિશોરની પુત્રી મહેંદી જયપુર શહેરના મંડાવરની મૂળહેવાસી છે . 2 વર્ષ પહેલા મહેંદીના લગન મડવા દોસાના રહેવાસી રામવિશ્વાસ મીના સાથે થયા હતા. રામેશ્વર જયપુર રેલવે માં ટેકનીશીયન પદ પર ફરજ નિભાવતો હતો. તે બંનેને ૫ મહિનાનો એક છોકરો પણ છે. લગ્નના થોડા સમય બાદથી જ મહેંદીને તેના સાસરીયાના લોકો દ્વારા હેરાન કરવામાં આવતી હતી.

આથી મહેંદી મીના પોતાની બહેન અને ૫ મહિનાના પુત્ર સાથે જયપુરના સેક્ટર- 11 માં આવેલા ઇન્દિરા ગાંધીનગરમાં ભાડે મકાન લઈને રહેતા હતા. પરંતુ તેમના સાસરિયા દ્વારા તેને હેરાન-પરેશાન કરવાનું બંધ થયું ન હતું. જેથી તે ખુબ જ કંટાળી ગઈ હતી. આ ઉપરાંત તેનો પતિ પણ તેનો સાથ આપી રહ્યો ન હતો.

આથી મહેંદી ગઈકાલે સવારે ૫ વાગે પોતાના પુત્રને ઘરે છોડીને કુંદનપુરા પાસથી પસાર થતા રેલ્વે ટ્રેક પર પહોંચી હતી. ત્યાં પહોંચીને ત્યારે પોતાના ભાઈ કૃષ્ણ ગોપાલને મેસેજ દ્વારા પોતાના આપઘાતનું કારણ જણાવવા માટે મેસેજ કાર્ય હતા. તેમાં તેણે પોતાની માતા-પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમ રજૂ કર્યો હતો.

ત્યારબાદ તેને ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને રેલવે ટ્રેક પર મૃતદેહ દેખાતા તેને તરત જ જયપુર પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહ અને પોસ્ટમોર્ટમ માટે જેએમયુ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહેંદી મીનાના ભાઈ કૃષ્ણ ગોપાલ એ તેની આપઘટ પહેલા મોકલેલા મેસેજ વાંચીને મહેંદીના સાસરીયા ના લોકો વિરોધ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. મહેંદીએ તેના ભાઈ કૃષ્ણ ગોપાલને જણાવ્યું હતું કે મારા આપઘાતનું કારણ મારા સાસરિયાના લોકો છે. જેમાં બીની રામ, દિનેશ, બાબુ, ભગવાની દેવી અને મહેશ સામેલ છે.

આ ઉપરાંત તેણે જણાવ્માયું હતું કે મારા પુત્રને પોતાનો જ પુત્ર સમજીને પાલનપોષણ કરજો. આ ઉપરાંત પોતાના માતા પિતા અને ભાઈ પ્રત્યે પ્રેમ પણ દર્શાવ્યો છે. પરિવારમાથી જુવાન દીકરીએ આ રીતે આપઘાત કરી લીધો હોવાથી તેના માતા-પિતા અને ભાઈ ખુબ જ દુખી છે. તેમજ જયપુર પોલીસ દ્વારા સાસરીયા પક્ષના અમુક લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *