કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી, કારણ કે તે કોઈની પણ સાથે ગમે ત્યારે થઈ શકે છે. આજે અમે તમને આવી જ એક પ્રેમ કહાનીની વાતચિત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રેમ કહાની ખુબ જ શરમજનક છે. એક ચાલીસ વર્ષની મામી તેના અઢાર વર્ષના ભાણીયા સાથે પ્રેમમાં પડે છે.
આ ચોંકાવનારો મામલો ઈન્દોરથી સામે આવ્યો છે. જ્યાં રંજીતા નામની ચાલીસ વર્ષની મહિલા તેના જ અઢાર વર્ષના ભાણીયાના પ્રેમમાં પડે છે. ખાલી પ્રેમ સબંધતો ઠીક છે પરતું હદ ત્યારે વટાવી ગઈ જ્યારે મહિલા તેના પતિનું ઘર છોડીને તેના ભાણીયા સાથે ભાગી ગઈ હતી. મહિલાના ગયા બાદ તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
જેના કારણે પોલીસે રંજીતાને શોધવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે પોલીસે રંજીતાને શોધવાનું શરૂ કર્યું તો તે તેને રાજમહોલ્લા સ્થિત હરિજન કોલોનીમાં તેના એક સંબંધી સાથે મળી. તમને જાણીને નવાઈ લાગશે કે આખો મામલો જાણ્યા પછી રંજીતા તેના નવા પતિ એટલે કે તેના ભાણીયા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસ સ્ટેશન આવ્યા પછી તેણે પોલીસને કહ્યું કે તેણે તેના ભાણીયા એટલે કે આકાશ સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે તેની સાથે જીવનભર રહેવા માંગે છે. આ સિવાય જ્યારે રંજીતાના પહેલા પતિને તેના પોલીસ સ્ટેશન પહોંચવાની જાણ થઈ તો તે પણ તેના બે બાળકો અને તેના સંબંધીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો.
જ્યારે રંજીતાના પતિને તેના અને તેના ભાણીયાના લગ્નની જાણ થઈ ત્યારે પણ રંજીતાનો પતિ ગુસ્સાથી ભરાઈ ગયો હતો. બીજી તરફ રંજીતાના પહેલા પતિના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રંજીતાના બાળકો પણ આકાશને ખૂબ મારતા હતા.
આવી સ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા પોલીસે કોઈક રીતે બધાને શાંત પાડ્યા હતા. આ અંગે રંજિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેનું અને આકાશનું બે વર્ષથી અફેર હતું અને આકાશ તેના પહેલા પતિની બહેનનો ભાણીયો છે. રંજિતાએ જણાવ્યું કે આકાશ અવારનવાર તેના ઘરે આવતો હતો અને આ દરમિયાન તેમની વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો.
આ સાથે રંજીતાએ એ પણ જણાવ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેમણે પરસ્પર સંમતિથી મંદિરમાં લગ્ન કર્યા. જો કે રંજીતા આટલેથી ન અટકી, આ પછી તેણે કહ્યું કે તે તેના પહેલા પતિ અને બાળકો સાથે નહીં પણ આકાશ સાથે રહેવા માંગે છે. આ જ પોલીસે રંજીતા અને આકાશ બંનેને પરિવાર સાથે રહેવા સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ બંને આ વાત માટે રાજી ન થયા.
આ મામલો સામે આવ્યા બાદ રંજીતાનો પતિ હોશ ખોઈ બેઠો છે અને વિચારવા લાગ્યો છે કે હવે તેને અને તેના બાળકોને કોણ સાચવશે કારણ કે શરમવગરની પત્ની તેના જ ભાણીયા સાથે ભાગી ગઈ છે અને ન કરવાના કામો પણ કરી બેસી હશે આ તમામ વાતોને લઈને સમાજમાં તેની બદનામી પણ નક્કી થઈ ગઈ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]