છેલ્લા કેટલાક સમયથી આપઘાત કરવાના બનાવો સતત વધી રહ્યા છે. કોઈને કોઈ કારણોસર વ્યક્તિ જીવંતી કંટાળી જઈને અંતે આપઘાતનું પગલું ભરી લે છે. તો અમુક વખત આપઘાત કર્યા બાદ પાછળ તેમના પરિવારજનો માટે જિંદગી વિતાવવી મુશ્કેલ જ નહીં પરંતુ નામમૂકીન સામાન બની જતી હોય છે..
તો કેટલાક પરિવારો રજળતા બની જતા હોય છે. અમુક લોકો પારિવારિક મામલાને લઈને આપઘાત કરી જીવન ટૂંકવી દેતા હોય છે. તો અમુક લોકો પૈસા માથે થઈ જવાને કારણે કામકાજ કરી લેતા હોય છે. અત્યારે વધુ એક એવો કે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનો બનાવ બન્યો છે.
યુવકની જિંદગીની કહાની સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગશે. આ ઘટના અમદાવાદના બારેજા વિસ્તારમાં રહેતા હિતેશ સોલંકી નામના યુવકની છે. આ યુવકના ભૂતકાળમાં કુલ ચાર વખત લગ્ન થયા હતા. અને ચારે ચાર લગ્નમાં કોઈને કોઈ કારણસર તેની પત્નીઓ સાથે છૂટાછેડા થઈ ગયા હતા..
એટલે કે ચારે લગ્ન એકદમ નિષ્ફળ નીકળ્યા છતાં પણ આ એવો હિંમત હાર્યા નહી અને તેણે મુંબઈના નાલા સોપારા વિસ્તારની એક યુવતી સાથે પાંચમાં લગ્ન કર્યા હતા. તેણે વિચાર્યું કે, હવે તેની જિંદગી આ યુવતી સાથે ખૂબ જ રાજી ખુશીથી પસાર થઈ જાય તો સારું પરંતુ તેના શબ્દ સાચા પડ્યા નહીં..
પરિણામે તેની જિંદગીમાં એવો વળાંક આપ્યો કે આખરે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવો પડ્યો હતો. હિતેશએ મુંબઈની રાની નામની મહિલા સાથે પાંચમા લગ્ન કર્યા હતા. હિતેશે આશાબેન, અશ્વિનભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ સહિતના લોકોની વચ્ચે રાખીને રાની નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા..
લગ્ન કરતી વખતે સોના ચાંદીના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડા પણ આપવા પડ્યા હતા. પરંતુ લગ્નના માત્ર દસ દિવસની અંદર જ રાની તેની માતા ને સાથે લઈને આ તમામ પૈસા અને દાગીના લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને હિતેશ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો, તો એક બાજુ દુઃખની લાગણીમાં વહેવા લાગ્યો હતો..
કારણકે તેનો પાંચમાં લગ્ન ટકી શક્યા નહીં એનું તો દુઃખ હતું જ પણ સાથો સાથ દોઢ લાખ રૂપિયા અને સોનાના દાગીના પણ લઈને રાની નામની મહિલા ભાગી ગઈ હતી જેનું તેને વધારે દુઃખ હતું. તેણે આપઘાત કર્યો ત્યારબાદ તેણે અંતિમ નોટ પણ છોડી છે. જેમાં તેણે આ તમામ વ્યક્તિઓના નામ લખ્યા છે..
અને કહ્યું છે કે, મારે તો ઘણું બધું જીવવું હતું. પરંતુ જીવનની દરેક પરિસ્થિતિમાં હંમેશા અપમાન જ સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત પાંચમાં લગ્ન તૂટી જવાને બાબતને લઈને ખૂબ જ લાગી આવ્યું હતું. જેથી તેને આપઘાતનું પગલું ભરી લીધું છે. તેની પત્ની રાની દુલ્હન નીકળી હતી.
અને લગ્નના 10 જ દિવસમાં કિંમતી ચીજ વસ્તુઓ અને રોકડા લઈને ત્યાંથી ભાગી ગઈ હતી. હિતેશ નામના વ્યક્તિએ અંતિમ નોટ લખ્યા બાદ ઝેરી દવાના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પોલીસે છેતરપિંડી અને આપઘાત કરવા તરફ પ્રેરવા મુજબની કલમો હેઠળ ગુનો નોંધીને અંતિમ નોટમાં લખેલા પાંચ નામોની ધરપકડ કરી લીધી હતી.
હિતેશની ઉંમર 27 વર્ષનું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તે પોતાનું લગ્ન જીવન સુખી રીતે જીવવા માંગતો હતો, પરંતુ દરેક પરિસ્થિતિમાં તેને અપમાન કરવું પડ્યું હતું. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ખૂબ જ દુઃખની ઘડીઓ ઊભી થઈ જતી હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]