ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના બની છે જેની વિષે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જસો… જુદા જુદા તાલુકાઓમાંથી નાના બાળકો સાથે ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ બને છે. આજકાલ નાના બાળકોને સાચવવા એ માતા-પિતા માટે ખુબ જ પડકારજનક પ્રશ્ન બની ગયો છે.
કારણ માતા અને પિતા ઘરમાં બાળકને રમતું મૂકીને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે જેના કારણે બાળકો અજાણતા શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી.. આવી ઘણી બધી ઘટનાઓ બાળકોને ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં મૂકી દે છે. આ ઉપરાંત બાળકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોઈ છે. શહેરના વિસ્તારોમાં લોકો પોતાના ઢોરને રસ્તા પર છુટા મૂકી દે છે.
તેને કારણે સ્થાનિક શહેરીજનોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે. આ સાથે સાથે હવે તો રખડતા કુતરાઓનો ત્રાસ પણ દિન પ્રતિ દિન વધવા લાગ્યો છે. રસ્તે રખડતા કૂતરાઓને કારણે પણ શહેરીજનોને ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. આજકાલ મૂંગા પશુઓને લીધે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે.
ભાવનગરના ચિત્ર વિસ્તારના મહાલક્ષ્મી સોસાયટીમાં એક ઘરમાં ઘોડિયામાં સૂતેલી એક 4 માસની બાળકીને રખડતા કુતરા ને કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જ્યારે આ બાળકી ઘોડિયામાં સૂતી હતી. ત્યારે સોસાયટીમાં એક રખડતું કૂતરું તેને મોઢામાં લઈને ભાગ્યું હતું. પરંતુ ઘરમાં હાજર રહેલી મહિલા ની નજર તેની પર પડતા તેણે તરત જ બાળકીને કુતરા પાસેથી છોડાવી હતી.
તેમજ બાઈક પર નજીકની હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. થોડી ઘણી સારવાર બાદ ડોક્ટર દ્વારા તે બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ચિત્રા વિસ્તારના મહાલક્ષ્મી સોસાયટી નંબર 2 માં હિંમતભાઈ વાલજીભાઈ ભાલીયા નો પરિવાર રહે છે. આજે સવારે પરિવારના બધા લોકો નિયમિત દિનચર્યા પ્રમાણે પોતાના કામે ગયા હતા.
તેમજ દીકરી કાવ્યા ની માતા ને ઘરના અન્ય કામ હોવાને કારણે તેણે કાવ્ય ને ઘોડિયામાં સુવડાવી હતી. ત્યારબાદ તેઓ ઘરની પાછળના ભાગમાં કપડાં ધોઇ રહ્યા હતા. આ ઉપરાંત હિંમતભાઈના ભાભી તેમના બાળકોને સ્કૂલ બસ સુધી મૂકવા માટે સોસાયટીના દરવાજે ગયા હતા. આ દરમિયાન સોસાયટીમાં રખડતા કૂતરાએ હિંમતભાઈ ના ઘરમાં આવીને ચાર મહિનાની બાળકી કાવ્યાને માથાના ભાગથી મોઢા માં પકડી ને ભાગવા લાગ્યું હતું.
પરંતુ આ સમયે હિંમતભાઈ ના ભાભી ની નજર તેના પર પડતા તેઓએ કૂતરાની ઝપટમાંથી આવ્યા ને છોડાવી હતી. કાવ્યા ને માથાના ભાગમાં કુતરાના દાંત વાગવાના કારણે બીજા પહોંચે હતી. હિંમતભાઈ ના ઘરે કોઈ પણ વાહન હાજર ન હોવાને કારણે તેમની પાડોશીની બાઈક દ્વારા કાવ્ય અને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ડોક્ટરે થોડી ઘણી સારવાર બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. હિંમતભાઈના ઘરમાં એક નાની બાળકીનું મૃત્યુ થવાને કારણે આખા પરિવારમાં શોક નો માહોલ છવાઇ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]