લોકોના માતા ધ્રુજાવી દે તેવો એક બનાવ ત્યારે રાજસ્થાનના ઉદયપુરના ગોગુંદાપુરામાંથી સામે આવ્યો છે. ગોગુંદા વિસ્તાર પાસે આવેલા ગોલનેડી ગામમાં એક જ સાથે છ વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું મામલો સામે આવ્યો છે. આ છ વ્યક્તિ માત્ર એક જ પરિવારના હોવાથી સમગ્ર ગામજનો અત્યારે ફફડી ઊઠ્યા છે.
કારણ કે આ મામલે મોટા મોટા અધિકારીઓ પણ દોડતા થયા છે. આ ઘટના ગોલમેડી ગામમાં બનવા પામી છે. આ ગામની અંદર 40 વર્ષનો પ્રકાશની પત્ની દુર્ગા સાથે રહેતો હતો. તેને સુખી લગ્નજીવન દરમિયાન કુલ ચાર સંતાનો જન્મ થયો હતો. જેમાં પાંચ વર્ષનો ગણેશ, ચાર વર્ષનો પુષ્કર, બે વર્ષનું રોહનનો પણ સમાવેશ થતો હતો.
કુલ ચાર વ્યક્તિનો આ પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. તેઓ ગુજરાતના સુરતમાં રસોઈ અને સાફ-સફાઈનું કામકાજ કરવા માટે આવ્યા હતા. પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બીમાર રહેવાને કારણે તેઓ પોતાના વતન પરત ફરી ગયા હતા અને જ્યાં તેઓ આર્થિક તંગીનો સામનો કરતા હતા..
પ્રકાશની બાજુમાં જ તેના નાનાભાઈ દુર્ગારામ રહે છે. એક દિવસ જ્યારે સવારના સમયે પ્રકાશના ઘરમાં કોઈ પણ પ્રકારની હાલચાલ ન દેખાતા દુર્ગારામ પ્રકાશના ઘરે ગયો હતો. તેને વારંવાર દરવાજો ખટખટ આવ્યો, પરંતુ કોઈ પણ વ્યક્તિએ દરવાજો ન ખોલતા અંતે પ્રકાશએ રસોડાની બારીમાંથી જોવાની કોશિશ કરી હતી..
તો દેખાયું કે, પ્રકાશ અને તેની પત્ની દુર્ગા બંને લટકી રહ્યા છે અને તેને આપઘાત કરી લીધો હોય તેવું લાગતું હતું. તાત્કાલિક ધોરણે ગામના અન્ય વ્યક્તિઓને બોલાવીને તેમના ઘરનો દરવાજો તોડીને આવ્યો હતો અને ત્યાં જઈને જોયું હતું અંદરની રૂમની અંદર તેના ચારે બાળકો પણ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
ચાર બાળકોની સાથે સાથે પતિ પત્નીએ પણ આપઘાત કરી લીધો હતો એટલે કે, એક જ પરિવારના છ સભ્યોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો. તેઓએ શા માટે આપઘાત કર્યો છે. તેની પૂછપરછ કરવા માટે પોલીસનો મોટા મોટા અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. પ્રકાશના નાનાભાઈ દુર્ગારામનું કહેવું છે કે, પ્રકાશે બે મહિનાથી ખૂબ જ બીમાર રહેતો હતો..
એમાં તેને બે વખત ટાઈફોડ થયો છે. આ ઉપરાંત તેની નોકરી પણ છૂટી ગઈ હતી અને તેઓ વતન રહેવા માટે આવી ગયા હતા. તે પૈસાની તંગી માંથી ગુજરતો હતો. કોઈક વખત તો પરિવારને જમવાના પણ પામવા પડતા હતા. કદાચ આ તંગીને કારણે સમગ્ર પરિવાર કરીને જીવન ટૂંકાવી દીધું હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
પ્રકાશની પત્ની દુર્ગાના પિયરજનોને જ્યારે જાણ થઈ કે દુર્ગા તેનો પતિ પ્રકાશ અને ચારેચાર બાળકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે તેઓ માટે તો આ દુખની ઘડી સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે. દુર્ગાના માતા-પિતા તો રડી રડીને બેહાલ થયા છે.
આ સમયે કામકાજનો કિસ્સો સામે આવતાની સાથે જ મોટા અધિકારીઓનો કફલો ત્યાં દોડી આવ્યો હતો અને આ કેસને જલ્દીથી જલ્દી સુલજાવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. તલાશી લેવામાં આવી ત્યારે એવું દેખાઈ આવ્યું છે કે, પ્રકાશ અને તેની પત્નીએ પહેલા તેના ચારે ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી લીધા અને ત્યારબાદ બંને એકસાથે લટકીને આપઘાત કરી લીધો છે. અને આવી જ રીતે આંખો પરિવાર ખલાસ થઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]