Breaking News

3 મહિનાના બાળકને નોધારું મૂકી માતા કુંવારા યુવકને પ્રેમ કરી બેઠી, હોટેલમાં મળવા ગયા અને પછી તો ભર્યું એવું પગલું કે….

ઘણીવાર લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ પ્રેમ માં પડતા હોય છે. જેને કારણે તેઓને ઘણી બધી મુશ્કેલીઓ કરવો પડતો હોય છે. આવી જ એક વિવાહિત મહિલાના પ્રેમની ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જોવા મળે છે. ભીલવાડાના માંડલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગભગ 5 વર્ષ પહેલાં અરવડ ફુલિયાના મૂળ રહેવાસી રામસ્વરૂપ વૈષ્ણવ સાથે લગ્ન કર્યા હતા.

તેઓને એક ત્રણ વર્ષનો છોકરો પણ છે. પરંતુ થોડા સમય પહેલા તે મહિલાને સુમેરસિંહ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. સુમેરસિંહના એક સંબંધી નું ઘર માંડલ વિસ્તારમાં હતું. જે આ મહિલાના ઘરથી થોડી જ દૂર હતું. સુમેર જ્યારે પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. ત્યારે તેની મુલાકાત આ મહિલા સાથે થઈ હતી.

ત્યારબાદ તેઓને ઓળખાણ થતા તેઓને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ મહિલા ઘણીવાર છુપાઈને સુમેરસિંહ સાથે ફરવા જતી હતી. તેમજ રોજ ફોન પર વાતચીત કરતી હતી. જેની તેના પતિ રામસ્વરૂપને બિલકુલ જાણ ન હતી. થોડા દિવસો પહેલા રામસ્વરૂપને તેની પર શંકા ગઈ હતી.

પરંતુ તેની પાસે કોઈ પ્રકારનો સબૂત ન હોવાને કારણે તેણે મહિલાને કંઈ કહ્યું ન હતું. પરંતુ તે મહિલા જાણતી હતી કે તેનો અને સુમેરસિંહનો આ પ્રેમ સંબંધ લાંબો સમય સુધી ચાલવાનો નથી. તેથી તે મહિલાએ એક દિવસ પોતાના સાસરિયામાં પિયર જવાનું કહીને રાત્રે નીકળી હતી.

ત્યારબાદ તે સુમેર સિંહ સાથે બાઈક પર બેસીને શ્રીરામ હોટલે પહોંચ્યા હતા. બંને થોડીવાર માટે એક રૂમ ભાડે લીધો હતો. થોડા સમય બાદ જ્યારે તે હોટલનો એક કર્મચારી ખાવાનો ઓર્ડર લેવા માટે આવ્યો. ત્યારે તેને જાણવા મળ્યું કે રૂમનો દરવાજો અંદરથી બંધ છે. તેને દરવાજો ઘણીવાર ખખડાવ્યા પછી પણ કોઈએ જવાબ આપ્યો ન હોવાથી તેણે તરત જ તેના મેનેજરને આ બાબતની જાણ કરી હતી.

મેનેજરે રૂમની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને જોયું કે સુમેર સિંહ અને તે મહિલાનનોનમૃતદેહ પંખા સાથે લટકાતો હતો. તેણે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતને જાણ કરીને પોલીસને ઘટના સ્થળે બોલાવી લીધી હતી. પોલીસે આ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા તેમજ આ ઘટના અંગે વધુ તપાસ ઢલતા જાણવા મળ્યું કે સુમેર સિંહ હરિયાણાનું મૂળ રહેવાસી છે.

તે પોતાના ભાઈ સાથે હરિયાણામાં કેટરિંગનું કામ કરતો હતો. પરંતુ તે તેના કાકાના ઘરે તેમને મળવા અર્થે રાજસ્થાન આવ્યો હતો. ત્યારે તેની મુલાકાત આ મહિલા સાથે થતા તે પ્રેમમાં પડી ગયો હતો. પરંતુ તેમનો પ્રેમસંબંધ આગળ ન વધી શકવાને કારણે તેમણે આત્મહત્યા કરવાનું પગલું કર્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાઈકલ લઈને મિત્રો સાથે શેરીએ શેરીએ ગણપતિ જોવા નીકળેલા દીકરા સાથે થયું એવું કે 10 મિનીટમાં ઘરે લાશ પહોચી ગઈ, માં-બાપના કાળજા ફાટી ગયા..!

હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે, તહેવારના સમયની અંદર નાની ઉંમરના બાળકોથી માંડીને વડીલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *