Breaking News

3 બાળકોની પરજા લઈને સગી માતા તળાવમાં કુદી ગઈ, તળાવમાં તરતી લાશોને જોઈને ભલભલાના ટાંટીયા ધ્રુજી ગયા, કારણ જાણી ચોંકી જશો..!

ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજમાં એક આવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે તળાવમાં કુદીને આત્મ.હ.ત્યા. કર્યા હોવાનું સામે આવ્યું છે. લાલાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોલ્હૈયા માઈન નજીક આ બનાવ બન્યો છે. અહીં એક મોટું તળાવ આવેલું છે.

ગઈકાલે સવારે તળાવ પાસેથી પસાર થતાં એક વ્યક્તિએ તળાવમાં કંઈક તરતું જોયું હતું. તેને આ બાબત શંકાસ્પદ લગતા તેણે તરત જ લાલાપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે આવીને તપાસ શરૂ કરતા તળાવમાં લાશ હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસ દ્વારા તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. તેમજ તરવૈયાની મદદથી તળાવમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ મૃતદેહો નજીકના ગામમાં રહેતા શિવ નરેશ યાદવની પત્ની અને તેના ત્રણેય બાળકોના છે.

શિવ નરેશ યાદવની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે શિવ નરેશ નેની માં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. શિવનરેશની પત્ની રેણુ નો કોઈ બાબતને કારણે શિવનરેશ સાથે ઝઘડો થવાથી તે પોતાના ત્રણેય બાળકો આ ઘટનાની આગળની રાતથી જ ઘરે છોડીને ચાલ્યા ગયા હતા.

રેણુના માતા પિતા દ્વારા તેના સાસરીયા પક્ષ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેના માતા-પિતાના કહેવા પ્રમાણે તેઓ લગ્ન બાદ રેણું ને વારંવાર હેરાન કરતા હતા. જેથી તે ઘણીવાર બાળકો સાથે પોતાના માતા પિતાના ઘરે જતી રહેતી હતી. લાલાપુર પોલીસ સ્ટેશનમાં મુખ્ય પોલીસકર્મી મનીષ ત્રિપાઠી દ્વારા આ પારિવારિક કલેશની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત મનીષ ત્રિપાઠી દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ બનાવ હત્યાનો તો નથી કે, જેને આત્મ.હ.ત્યા.નું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ચારે મૃતદેહો શિવનરેશ યાદવની 30 વર્ષીય પત્ની રેણુદેવી તેની બેટી કલ્પના, પુત્ર સરોજ અને ગોલું ને પોસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. તેમજ પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારમાંથી એક સાથે 4 લોકોનું મૃત્યુ થવાથી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. બનાવને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. હકીકતમાં આ બનાવે સૌ કોઈ લોકોને ભારે ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *